હાર પછી કોંગ્રેસ નેતાઓના ધડાધડ રાજીનામા, આ 13 નેતાએ કરી રાજીનામાની વાત

|

May 27, 2019 | 2:24 PM

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈને રાજીનામાની વણઝાર લાગી છે. અત્યાર સુધીમાં રાહુલ ગાંધીએ જ્યારથી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે તેની સાથે 13 મોટા નેતાઓએ પોતાના રાજીનામાની પેશકશ કરી છે. રાહુલ ગાંધીએ કાર્યકારી સમિતિની સામે આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર પોતાના માથે લઈને રાજીનામું આપ્યું છે પણ તેમના રાજીનામાને સ્વીકારવામાં નથી આવી રહ્યું. કોંગ્રેસનું સુકાન કોઈ નોન […]

હાર પછી કોંગ્રેસ નેતાઓના ધડાધડ રાજીનામા, આ 13 નેતાએ કરી રાજીનામાની વાત

Follow us on

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈને રાજીનામાની વણઝાર લાગી છે. અત્યાર સુધીમાં રાહુલ ગાંધીએ જ્યારથી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે તેની સાથે 13 મોટા નેતાઓએ પોતાના રાજીનામાની પેશકશ કરી છે.

રાહુલ ગાંધીએ કાર્યકારી સમિતિની સામે આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર પોતાના માથે લઈને રાજીનામું આપ્યું છે પણ તેમના રાજીનામાને સ્વીકારવામાં નથી આવી રહ્યું. કોંગ્રેસનું સુકાન કોઈ નોન કોંગ્રેસી પરિવારમાંથી આવનાર નેતાને આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તો પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીના રાજીનામાને સમર્થન આપ્યું છે તેવી ખબરો મળી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બધા ધમાસાણની વચ્ચે કોંગ્રેસના 13 નેતાઓએ પોતાનું રાજીનામા આપવાની વાત કરી છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી અશોક ચવ્હાણ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડ, ઝારખંડ કોંગ્રેસના ચીફ અજય કુમાર, અસમ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરા, રાજ બબ્બર અને કમલનાથે પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાની વાત કહી છે. ઓડિશા કોંગ્રેસના અધ્યક્ષ નિરંજન પટ્ટનાયકે પણ પોતાનું રાજીનામું આપવાની વાત કરી છે.

TV9 Gujarati

આ પણ વાંચો:  સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ

આમ ભાજપને બહુમતિ મળવાની સાથે જ કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર લાગી છે અને એક પછી એક નેતાઓ પોતાની જવાબદારી સ્વીકારી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારવા તૈયાર નથી. આમ કોંગ્રેસમાં હવે રાજીનામાને લઈને વિવાદ સર્જાયો છે. જેમાં સૌથી વધારે રાહુલ ગાંધીના રાજીનામાને લઈને વિવાદ વકર્યો  છે. સુત્રોની માહિતી મુજબ રાહુલ ગાંધી આ અધ્યક્ષ પદ કોઈ નોન કોંગ્રેસીને બેસાડીને કોંગ્રેસ પાર્ટીને બચાવવા માગે છે અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ આ વાતનું સમર્થન કરી રહી છે.\

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article