શું આગ લાગે ત્યારે તમારું બાયોમેટ્રિક લોક જ બની જશે કાળ ? દરેક સ્માર્ટ હોમ માલિક માટે મોટો ખુલાસો !

જો તમે પણ સુરક્ષા માટે ઘરમાં ફિંગરપ્રિન્ટ કે ડિજિટલ લોક લગાવ્યું છે, તો આ સમાચાર તમારા માટે જ છે! જો ઘરમાં ક્યારેય શોર્ટ સર્કિટથી આગ લાગે, તો શું આ તાળું લાઈટ વગર ખુલશે ખરા? શું તમે અંદર જ ફસાઈ જશો? જાણો આ સ્માર્ટ લોકની પાછળનું સાચું સત્ય ખૂબ જ સરળ શબ્દોમાં

| Updated on: Jun 08, 2026 | 6:53 PM
1 / 10
આજકાલ ઘર અને સોસાયટીની સુરક્ષા વધારવા માટે લોકો ફિંગરપ્રિન્ટ અને ડિજિટલ લોકનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું મુશ્કેલીના સમયે આ સિસ્ટમ આપણો જીવ બચાવી શકશે? આ એક મોટો સવાલ છે.

આજકાલ ઘર અને સોસાયટીની સુરક્ષા વધારવા માટે લોકો ફિંગરપ્રિન્ટ અને ડિજિટલ લોકનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું મુશ્કેલીના સમયે આ સિસ્ટમ આપણો જીવ બચાવી શકશે? આ એક મોટો સવાલ છે.

2 / 10
બજારમાં મળતા સ્માર્ટ લોક મુખ્યત્વે 2રીતે કામ કરે છે. એક ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીથી ખુલે છે, જ્યારે બીજા મેગ્નેટિક લોક હોય છે જે વીજળીની મદદથી દરવાજાને મજબૂતાઈથી બંધ રાખે છે.

બજારમાં મળતા સ્માર્ટ લોક મુખ્યત્વે 2રીતે કામ કરે છે. એક ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીથી ખુલે છે, જ્યારે બીજા મેગ્નેટિક લોક હોય છે જે વીજળીની મદદથી દરવાજાને મજબૂતાઈથી બંધ રાખે છે.

3 / 10
આ તમામ ડિજિટલ અને સ્માર્ટ લોક આખરે તો વીજળી કે બેટરી પર જ ચાલે છે. જો ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે અને પાવર સપ્લાય બંધ થઈ જાય, તો આ લોક કામ કરવાનું બંધ કરી શકે છે.

આ તમામ ડિજિટલ અને સ્માર્ટ લોક આખરે તો વીજળી કે બેટરી પર જ ચાલે છે. જો ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે અને પાવર સપ્લાય બંધ થઈ જાય, તો આ લોક કામ કરવાનું બંધ કરી શકે છે.

4 / 10
જ્યારે આગ લાગે ત્યારે વાયરિંગ બળી જવાથી સિસ્ટમ બંધ થઈ જાય છે. આવા સમયે લોકોના મનમાં સૌથી મોટો ડર એ હોય છે કે શું તેઓ ઘરની અંદર જ કેદ થઈ જશે અને બહાર નહીં નીકળી શકે?

જ્યારે આગ લાગે ત્યારે વાયરિંગ બળી જવાથી સિસ્ટમ બંધ થઈ જાય છે. આવા સમયે લોકોના મનમાં સૌથી મોટો ડર એ હોય છે કે શું તેઓ ઘરની અંદર જ કેદ થઈ જશે અને બહાર નહીં નીકળી શકે?

5 / 10
આ ચિંતાનો જવાબ ખૂબ જ સરળ છે. મોટાભાગની બાયોમેટ્રિક સિસ્ટમમાં દરવાજાની અંદરની તરફ એક મેન્યુઅલ (હાથથી દબાવવાનું) બટન કે હેન્ડલ હોય છે, જેનાથી પાવર ન હોય તો પણ દરવાજો સરળતાથી ખુલી જાય છે.

આ ચિંતાનો જવાબ ખૂબ જ સરળ છે. મોટાભાગની બાયોમેટ્રિક સિસ્ટમમાં દરવાજાની અંદરની તરફ એક મેન્યુઅલ (હાથથી દબાવવાનું) બટન કે હેન્ડલ હોય છે, જેનાથી પાવર ન હોય તો પણ દરવાજો સરળતાથી ખુલી જાય છે.

6 / 10
જો તમારા સ્માર્ટ લોકમાં અંદરથી ખોલવાનું આવું કોઈ બટન ન આપેલું હોય, તો પણ કંપની તેની સાથે એક મેન્યુઅલ લોખંડની ચાવી આપે જ છે. આ ચાવીથી તમે ગમે તેવી મુશ્કેલીમાં તાળું ખોલી શકો છો.

જો તમારા સ્માર્ટ લોકમાં અંદરથી ખોલવાનું આવું કોઈ બટન ન આપેલું હોય, તો પણ કંપની તેની સાથે એક મેન્યુઅલ લોખંડની ચાવી આપે જ છે. આ ચાવીથી તમે ગમે તેવી મુશ્કેલીમાં તાળું ખોલી શકો છો.

7 / 10
ઘણી વખત આગ સિવાય પણ સામાન્ય પાવર કટ થાય ત્યારે આ સિસ્ટમ થોડી સેકન્ડ માટે કામ કરવાનું બંધ કરી દે છે. જો કે, તેમાં અંદર બેકઅપ બેટરી હોય છે, પણ લાંબો સમય લાઈટ ન હોય તો લોક કામ નથી કરતું.

ઘણી વખત આગ સિવાય પણ સામાન્ય પાવર કટ થાય ત્યારે આ સિસ્ટમ થોડી સેકન્ડ માટે કામ કરવાનું બંધ કરી દે છે. જો કે, તેમાં અંદર બેકઅપ બેટરી હોય છે, પણ લાંબો સમય લાઈટ ન હોય તો લોક કામ નથી કરતું.

8 / 10
કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે કંપનીઓ આ સ્માર્ટ લોકને ખાસ રીતે ડિઝાઈન કરે છે. આ નિયમ હેઠળ ગમે તેવી આપત્તિ આવે તો પણ દરવાજો અંદરની તરફથી હંમેશા ખુલી શકે તેવો જ બનાવવો પડે છે.

કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે કંપનીઓ આ સ્માર્ટ લોકને ખાસ રીતે ડિઝાઈન કરે છે. આ નિયમ હેઠળ ગમે તેવી આપત્તિ આવે તો પણ દરવાજો અંદરની તરફથી હંમેશા ખુલી શકે તેવો જ બનાવવો પડે છે.

9 / 10
ઈમરજન્સીની સ્થિતિમાં અંદર રહેલી વ્યક્તિ ગભરાયા વગર માત્ર એક જ સેકન્ડમાં મેન્યુઅલ બટન દબાવીને કે હેન્ડલ નીચે કરીને બહાર દોડી શકે છે, એટલે કે જીવનું જોખમ રહેતું નથી.

ઈમરજન્સીની સ્થિતિમાં અંદર રહેલી વ્યક્તિ ગભરાયા વગર માત્ર એક જ સેકન્ડમાં મેન્યુઅલ બટન દબાવીને કે હેન્ડલ નીચે કરીને બહાર દોડી શકે છે, એટલે કે જીવનું જોખમ રહેતું નથી.

10 / 10
ટેકનોલોજી ભલે ગમે તેટલી એડવાન્સ હોય, પણ ઘરમાં રહેતા બાળકો અને વડીલોને ખબર હોવી જોઈએ કે મુશ્કેલીના સમયે ઈમરજન્સી બટન ક્યાં છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તમારી આ જ જાગૃતિ સુરક્ષા આપશે.

ટેકનોલોજી ભલે ગમે તેટલી એડવાન્સ હોય, પણ ઘરમાં રહેતા બાળકો અને વડીલોને ખબર હોવી જોઈએ કે મુશ્કેલીના સમયે ઈમરજન્સી બટન ક્યાં છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તમારી આ જ જાગૃતિ સુરક્ષા આપશે.

Follow Us