
સવારના હળવા તડકામાં રહેવાથી શરીરમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા સુખદ અનુભૂતિ કરાવતા હોર્મોન્સનું સ્તર વધે છે. તેથી સૂર્યપ્રકાશમાં થોડોક સમય પસાર કરવાથી આખો દિવસ મન પ્રસન્ન રહે છે અને ઉર્જા પણ વધુ અનુભવી શકાય છે. ( Credits: AI Generated )

કેટલાક અભ્યાસોમાં જાણવા મળે છે કે સવારે મળતો તાજો સૂર્યપ્રકાશ મગજની કાર્યક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે તથા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિમાં સુધારાને પ્રોત્સાહન આપે છે. ( Credits: AI Generated )

સવારના સૂર્યપ્રકાશનો સ્પર્શ શરીરમાં મેલાટોનિનના ચક્રને સુવ્યવસ્થિત બનાવે છે, જેના કારણે રાત્રિના સમયે ઊંઘ વધુ ઊંડી અનેઆરામદાયક બને છે. ( Credits: AI Generated )

સવારનો કોમળ પ્રકાશ શરીરની આંતરિક જૈવિક ઘડિયાળને યોગ્ય રીતે ગોઠવે છે, જેના પરિણામે પાચન, ઊર્જા સ્તર, મનોદશા અને અન્ય ઘણી શારીરિક પ્રક્રિયા વધુ સંતુલિત રીતે કાર્ય કરે છે. ( Credits: AI Generated )

સવારે મળતા સૂર્યપ્રકાશથી શરીરમાં ઉત્પન્ન થતું વિટામિન D કેલ્શિયમના શોષણને સરળ બનાવે છે, જેના કારણે હાડકાં તેમજ દાંત વધુ મજબૂત બને છે. ( Credits: AI Generated )

આ સિવાય સવારનો સૂર્યપ્રકાશ ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનનાં સ્તરને કુદરતી રીતે સ્થિર રાખવામાં પણ મદદરૂપ બને છે. ( Credits: AI Generated )

સવારે માત્ર 15થી 20 મિનિટ હળવા તડકાનો લાભ લેવો પૂરતો માનવામાં આવે છે. તીવ્ર સૂર્યપ્રકાશથી દૂર રહેવું જોઈએ. આ સરળ અભ્યાસને રોજિંદા જીવનમાં સામેલ કરો, તો શરીરને અનેક સ્વાસ્થ્યલાભ મળવા લાગે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )