
આમ જોવા જઈએ તો, મેટ્રોની મુસાફરી ટૂંકી હોય તો મુસાફર મુસાફરી પૂર્ણ કર્યા પછી પણ શૌચાલય જઈ શકે છે. જો મેટ્રો સ્ટેશનો પર શૌચાલય હોય, તો મુસાફરો તેનો ઉપયોગ કરી શકે છે અને બીજી મેટ્રો પકડી શકે છે પરંતુ ટ્રેનોમાં આવું હોતું નથી. એકવાર ટ્રેન ચૂકી જાય પછી મુસાફરો બીજી ટ્રેનમાં ચઢી શકતા નથી, તેથી ટ્રેનોમાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે છે.

બીજું કે, મેટ્રોમાં ટ્રેન જેટલી જગ્યા હોતી નથી. મેટ્રોમાં કોચની સંખ્યા ઓછી અને મુસાફરો વધુ હોય છે, તેથી તેમાં ટોયલેટ બનાવવા માટે જગ્યા નથી રહેતી. એવામાં હવે જો મેટ્રોની અંદર શૌચાલય બનાવવામાં આવે, તો તેનો જાળવણી ખર્ચ પણ વધશે, જેના કારણે ટિકિટના ભાવમાં વધારો થશે અને તેનો ઉપયોગ રોજિંદા વપરાશ કરતા સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડશે.
Published On - 5:28 pm, Sat, 27 December 25