
વ્યક્તિની દિનચર્યા લગભગ સમાન હોય છે. વિદ્યાર્થીઓ સવારે ઉઠીને શાળાએ જાય છે, કામ કરતા લોકો તેમના કામ પર જાય છે અને જે મહિલાઓ ઘરે રહે છે તેઓ ઘરકામ કરે છે. આ સમય દરમિયાન, દરરોજ ઘણી બધી બાબતો આપણી નજર સમક્ષ આવે છે પરંતુ તે સામાન્ય હોવાને કારણે તેના સંબંધિત પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા નથી.

હવે જે લોકો દરરોજ મેટ્રોમાં મુસાફરી કરે છે, તેઓએ ભાગ્યે જ નોંધ્યું હશે કે મેટ્રોમાં શૌચાલય હોતું નથી, જ્યારે ટ્રેનમાં આ સુવિધા ઉપલબ્ધ હોય છે. એવામાં શું તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે કે, આવું કેમ હોય છે?

મળતી માહિતી મુજબ, ટ્રેનની મુસાફરી લાંબી હોય છે, તેથી શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે છે. આથી મુસાફરો ટ્રેન ચાલુ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકે છે.

આમ જોવા જઈએ તો, મેટ્રોની મુસાફરી ટૂંકી હોય તો મુસાફર મુસાફરી પૂર્ણ કર્યા પછી પણ શૌચાલય જઈ શકે છે. જો મેટ્રો સ્ટેશનો પર શૌચાલય હોય, તો મુસાફરો તેનો ઉપયોગ કરી શકે છે અને બીજી મેટ્રો પકડી શકે છે પરંતુ ટ્રેનોમાં આવું હોતું નથી. એકવાર ટ્રેન ચૂકી જાય પછી મુસાફરો બીજી ટ્રેનમાં ચઢી શકતા નથી, તેથી ટ્રેનોમાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે છે.

બીજું કે, મેટ્રોમાં ટ્રેન જેટલી જગ્યા હોતી નથી. મેટ્રોમાં કોચની સંખ્યા ઓછી અને મુસાફરો વધુ હોય છે, તેથી તેમાં ટોયલેટ બનાવવા માટે જગ્યા નથી રહેતી. એવામાં હવે જો મેટ્રોની અંદર શૌચાલય બનાવવામાં આવે, તો તેનો જાળવણી ખર્ચ પણ વધશે, જેના કારણે ટિકિટના ભાવમાં વધારો થશે અને તેનો ઉપયોગ રોજિંદા વપરાશ કરતા સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડશે.
Published On - 5:28 pm, Sat, 27 December 25