મેઘધનુષ હંમેશા અર્ધ વર્તુળાકારમાં જ કેમ હોય છે ? સીધી રેખા કે અન્ય આકારમાં કેમ નહીં ? જાણો તેના આકાર પાછળનું ‘રહસ્ય’

જ્યારે પણ વરસાદ વરસી જાય ત્યાર બાદ આકાશમાં દેખાતુ મેઘધનુષ હંમેશા અર્ધ વર્તુળ આકારમાં જ કેમ દેખાય છે ? તે સીધી રેખામાં કેમ નથી દેખાતુ ? મેઘધનુષ હંમેશા અર્ધવર્તુળકાર કે વર્તુળાકારમાં હોય છે ? તે જાણવા આ અહેવાલ વાંચો

| Updated on: Jul 10, 2026 | 2:13 PM
1 / 5
હાલમાં ચોમાસા દરમિયાન ઘણીબધી જગ્યાએ, વરસાદ પછી આકાશમાં મેઘધનુષ દેખાય છે. મેઘધનુષમા જોવા મળતા રંગબેરંગી રંગ લોકોને મોહિત કરે છે. જો કે એક રસપ્રદ વાત એવી છે કે, મેઘધનુષ ક્યારેય સીધી રેખામાં જોવા મળતા નથી.  મેઘધનુષ હંમેશા એક અલગ જ અર્ધ વર્તુળ આકાર ધારણ કરે છે. આ જોતા સૌ કોઈના મનમાં એવો સવાલ જરૂર થાય કે, મેઘધનુષ સીધી રેખામાં કેમ નથી હોતુ? આનું પાછળનું કારણ એ છે કે, મેઘધનુષ બનવા માટે ત્રણ તત્વો જરૂરી હોય છે.  સૂર્યપ્રકાશ, હવામાં પાણીના ટીપાં અને સાચો ખૂણો.

હાલમાં ચોમાસા દરમિયાન ઘણીબધી જગ્યાએ, વરસાદ પછી આકાશમાં મેઘધનુષ દેખાય છે. મેઘધનુષમા જોવા મળતા રંગબેરંગી રંગ લોકોને મોહિત કરે છે. જો કે એક રસપ્રદ વાત એવી છે કે, મેઘધનુષ ક્યારેય સીધી રેખામાં જોવા મળતા નથી. મેઘધનુષ હંમેશા એક અલગ જ અર્ધ વર્તુળ આકાર ધારણ કરે છે. આ જોતા સૌ કોઈના મનમાં એવો સવાલ જરૂર થાય કે, મેઘધનુષ સીધી રેખામાં કેમ નથી હોતુ? આનું પાછળનું કારણ એ છે કે, મેઘધનુષ બનવા માટે ત્રણ તત્વો જરૂરી હોય છે. સૂર્યપ્રકાશ, હવામાં પાણીના ટીપાં અને સાચો ખૂણો.

2 / 5
મેઘધનુષ કેવી રીતે બને છે... જ્યારે સૂર્યપ્રકાશના કિરણો વાતાવરણમાં હાજર પાણીના ટીપાંને સ્પર્શીને પાર થાય છે ત્યારે મેઘધનુષ બને છે. જેમ જેમ સૂર્ય કિરણનો પ્રકાશ વરસાદી ટીપાંઓમાંથી પસાર થાય છે, તેમ તેમ તે 42-ડિગ્રીના ખૂણા પર વળે છે અને સાત રંગોમાં વિભાજીત થાય છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આમ આ સાત રંગથી મેઘધનુષ બને છે.

મેઘધનુષ કેવી રીતે બને છે... જ્યારે સૂર્યપ્રકાશના કિરણો વાતાવરણમાં હાજર પાણીના ટીપાંને સ્પર્શીને પાર થાય છે ત્યારે મેઘધનુષ બને છે. જેમ જેમ સૂર્ય કિરણનો પ્રકાશ વરસાદી ટીપાંઓમાંથી પસાર થાય છે, તેમ તેમ તે 42-ડિગ્રીના ખૂણા પર વળે છે અને સાત રંગોમાં વિભાજીત થાય છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આમ આ સાત રંગથી મેઘધનુષ બને છે.

3 / 5
મેઘધનુષ સીધી રેખામાં કેમ નથી હોતું ?... મેઘધનુષ સીધી રેખા કેમ બનાવતું નથી એ સવાલ ઘણાબઘાને થાય તે સ્વાભાવિક છે. સીધી રેખામાં મેઘધનુષ ના હોવાનુ કારણ એ છે કે તેના નિર્માણ માટે ચોક્કસ ખૂણો જરૂરી છે. તે પ્રકાશ વરસાદી ટીપાં સાથે અથડાયા પછી, પ્રતિબિંબિત થાય ત્યારે જ દેખાય છે. આ જ કારણ છે કે મેઘધનુષ અર્ધવર્તુળાકાર તરીકે પૃથ્વી પર દેખાય છે. જો કે, આપણને ના દેખાતા બીજા અર્ધ વર્તુળાકારને જમીન અવરોધે છે. આથી આપણે તેને સંપૂર્ણ વર્તુળકાર તરીકે નથી જોઈ શકતા. પરંતુ આપણે માત્ર જમીનની ઉપરના અર્ધવર્તુળાકારને જ જોઈ શકીએ છીએ.

મેઘધનુષ સીધી રેખામાં કેમ નથી હોતું ?... મેઘધનુષ સીધી રેખા કેમ બનાવતું નથી એ સવાલ ઘણાબઘાને થાય તે સ્વાભાવિક છે. સીધી રેખામાં મેઘધનુષ ના હોવાનુ કારણ એ છે કે તેના નિર્માણ માટે ચોક્કસ ખૂણો જરૂરી છે. તે પ્રકાશ વરસાદી ટીપાં સાથે અથડાયા પછી, પ્રતિબિંબિત થાય ત્યારે જ દેખાય છે. આ જ કારણ છે કે મેઘધનુષ અર્ધવર્તુળાકાર તરીકે પૃથ્વી પર દેખાય છે. જો કે, આપણને ના દેખાતા બીજા અર્ધ વર્તુળાકારને જમીન અવરોધે છે. આથી આપણે તેને સંપૂર્ણ વર્તુળકાર તરીકે નથી જોઈ શકતા. પરંતુ આપણે માત્ર જમીનની ઉપરના અર્ધવર્તુળાકારને જ જોઈ શકીએ છીએ.

4 / 5
મેઘધનુષ ક્યારે દેખાય છે  મેઘધનુષ ત્યારે જ આકાર પામે છે જ્યારે આકાશમાં વરસાદના ટીપાં હોવા જોઈએ, અને સૂર્ય ચમકતો હોવો જોઈએ. આ જ કારણ છે કે, હળવા વરસાદ પછી આકાશમાં મેઘધનુષ ઘણીવાર દેખાય છે. ખાસ કરીને જ્યારે આકાશમાં વાદળો ના હોય અને સૂર્ય વાદળોથી બહાર આવે ત્યારે મેઘધનુષ રચાય છે.

મેઘધનુષ ક્યારે દેખાય છે મેઘધનુષ ત્યારે જ આકાર પામે છે જ્યારે આકાશમાં વરસાદના ટીપાં હોવા જોઈએ, અને સૂર્ય ચમકતો હોવો જોઈએ. આ જ કારણ છે કે, હળવા વરસાદ પછી આકાશમાં મેઘધનુષ ઘણીવાર દેખાય છે. ખાસ કરીને જ્યારે આકાશમાં વાદળો ના હોય અને સૂર્ય વાદળોથી બહાર આવે ત્યારે મેઘધનુષ રચાય છે.

5 / 5
મેઘધનુષ ક્યારેક નાનું તો ક્યારેક મોટું દેખાય છે ? આના માટેનુ કારણ એ છે કે, જ્યારે બપોરે સૂર્ય સીધો માથા ઉપર હોય છે, ત્યારે મેઘધનુષ કાં તો બિલકુલ દેખાતું નથી અથવા તો ખૂબ જ નાનું દેખાય છે. ક્યારેક, આકાશમાં એક સાથે બે મેઘધનુષ પણ દેખાય છે. આ ઘટનાને ડબલ મેઘધનુષ તરીકે ઓળખવામાં આવે છે. તે ત્યારે જ થાય છે જ્યારે પ્રકાશ વરસાદના ટીપાની અંદર બે વાર પ્રતિબિંબિત થતા હોય છે.

મેઘધનુષ ક્યારેક નાનું તો ક્યારેક મોટું દેખાય છે ? આના માટેનુ કારણ એ છે કે, જ્યારે બપોરે સૂર્ય સીધો માથા ઉપર હોય છે, ત્યારે મેઘધનુષ કાં તો બિલકુલ દેખાતું નથી અથવા તો ખૂબ જ નાનું દેખાય છે. ક્યારેક, આકાશમાં એક સાથે બે મેઘધનુષ પણ દેખાય છે. આ ઘટનાને ડબલ મેઘધનુષ તરીકે ઓળખવામાં આવે છે. તે ત્યારે જ થાય છે જ્યારે પ્રકાશ વરસાદના ટીપાની અંદર બે વાર પ્રતિબિંબિત થતા હોય છે.

Follow Us