
'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.