
રનવે પર લેન્ડ થતા જ ફાયર ટ્રકો પ્લેન પર પાણીનો જોરદાર મારો ચલાવે છે. લોકો વિચારે છે કે આ સફાઈ અભિયાન છે, પણ શું લાખોના વિમાનને ધોવા માટે આટલા મોટા ડ્રામાની જરૂર છે?

પ્લેન પર પડતી પાણીની ધાર જોઈને મુસાફરો ફફડી ઉઠે છે કે ક્યાંક એન્જિનમાં આગ તો નથી લાગી ને? પણ સત્ય જાણીને તમે દંગ રહી જશો.

આ કોઈ સફાઈ નથી, પણ એવિએશન જગતનું સૌથી મોટું સન્માન છે, જેને 'વોટર સેલ્યુટ' કહેવાય છે. પ્લેનને માણસોની જેમ નવડાવીને તેનું સ્વાગત કરાય છે.

આ 'સ્નાન' પાછળ એક ભાવુક કારણ પણ છે. જ્યારે કોઈ પાયલોટ વર્ષોની સેવા પછી છેલ્લી ફ્લાઈટ ઉડાડે છે, ત્યારે આકાશમાં પાણીનો દરવાજો બનાવી તેને વિદાય અપાય છે.

જો કોઈ એરલાઇન પહેલીવાર કોઈ શહેરના એરપોર્ટ પર પગ મૂકે અથવા નવું નકોર વિમાન કાફલામાં જોડાય, ત્યારે આ રીતે તેનું 'મુહૂર્ત' કરવામાં આવે છે.

શું તમે જાણો છો કે ઠંડા દેશોમાં પ્લેનની પાંખો પર બરફ જામી જાય તો તે ઉડી શકતું નથી? ત્યારે ગરમ પાણી અને કેમિકલથી તેને 'નવડાવવું' જીવ બચાવવા જેટલું જરૂરી છે.

ઉનાળામાં જ્યારે રનવે 50 ડિગ્રીથી વધુ તપે છે, ત્યારે લેન્ડિંગ વખતે ટાયર અને રનવે વચ્ચેના ઘર્ષણને ઠંડુ કરવા માટે પણ પાણીનો સહારો લેવો પડે છે.

હજારો લિટર પાણીનો ઉપયોગ થતો હોવાથી હવે મોર્ડન એરપોર્ટ પર રિસાયકલ કરેલા પાણીથી આ પરંપરા જીવંત રાખવામાં આવે છે.