
આપણે અવારનવાર શોપિંગ માટે મોટા-મોટા મોલ્સમાં જઈએ છીએ. પોતાના જ પરિવારના કે મિત્રો સાથે વિકેન્ડમાં ખરીદી માટે સૌથી સારો વિકલ્પ મોલ્સ હોય છે. કારણ કે અહીં ફરવાની સાથે કેટલીક ખરીદી પણ થઈ જાય છે. પરંતુ આ દરમિયાન ભાગ્યે જ તમે ધ્યાન આપ્યુ હોય તો શોપિંગ મોલ્સની દિવાલ પર ઘડિયાળ દેખાય છે. (Photo - Pexels)

હવે જ્યારે તમે મોલ જાઓ તો ધ્યાનથી જોજો તમને ત્યાં કોઈ ઘડિયાળ નહીં જોવા મળે. આનાથી સવલ થાય કે શું મોલમાં ઇરાદાપૂર્વક ઘડિયાળો નથી લગાવવામાં આવતી? આનો જવાબ છે હા.આનું કારણ એ છે કે શોપિંગ સેન્ટર એવી જગ્યાઓમાંથી એક છે જ્યાં સમય આંખના પલકારામાં ઉડતો લાગે છે. જ્યાં વીસ મિનિટમાં થઈ જનારી મોટી-મોટી શોપિંગ પણ આસાનીથી ઘણા કલાકોના ખર્ચમાં રૂપાંતરિત થઈ શકે છે. (Photo - AP)

શોપિંગ સેન્ટરોમાં ઘડિયાળોની સ્પષ્ટ ગેરહાજરી પાછળ એક ગણતરીપૂર્વકનું કારણ છે. તે "ટેમ્પોરલ ડિસ્ટોર્શન" તરીકે ઓળખાતી એક સૂક્ષ્મ યુક્તિ છે. વ્યક્તિની સમય પ્રત્યેની ધારણાને બદલવાની ક્રિયા. તો, ચાલો અન્વેષણ કરીએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે અને શું તે ખરેખર આપણને વધુ પૈસા ખર્ચવા માટે દબાણ કરે છે. (Photo - Pexels)

Metro.co.uk ના અહેવાલ મુજબ, મનોવિજ્ઞાની લોરા ગીગે સમજાવે છે કે શોપિંગ સેન્ટરોમાં ઘડિયાળ ન હોવી એક આયોજનબદ્ધ રણનીતિ છે. જે ગ્રાહકોના મનોવિજ્ઞાન સાથે જોડાયેલી છે. જે તમારા મોલમાં વધુ રોકાવાના સમયને વધારે છે અને આ રણનીતિ તમારા ખર્ચને વધારવા માટે બનાવાયેલી છે. (Photo - Pexels)

શોપિંગ સેન્ટરો એક એવુ યુનિવર્સ છે જ્યા સમયની અવધારણાને ચાલાકીથી નિયંત્રિત કરવામાં આવે છે. ઘડિયાળોને જાણીજોઈને ન રાખવી પર્યાવરણીય મનોવિજ્ઞાનનુ એક વ્યુહાત્મક તત્ત્વ છે. જેનો આશય તમને સમયની જાગૃતિથી દૂર રાખવાનો છે. (Photo - Pexels)

જ્યારે આપણે ખરીદીમાં ડૂબી જઈએ છીએ, ત્યારે આપણે સમયનો ખ્યાલ ગુમાવીએ છીએ; ખરીદીમાં આ ઊંડાણપૂર્વક ડૂબકી મોલમાં વધુ ખર્ચ કરવાની આપણી વૃત્તિને બળ આપે છે, લોરા જણાવે છે કે તમે જેટલો વધુ સમય મોલમાં રોકાશો તે તમારી વધુમાં વધુ ખરીદીની સંભાવનાને વધારે છે. (Photo - Pixabay)

કારણ કે આપણે ફક્ત પ્રદર્શનમાં રહેલા ઉત્પાદનોથી આપણી આંખો દૂર કરી શકતા નથી. લોરા નોંધે છે કે તમે જેટલા લાંબા સમય સુધી આ "કાલાતીત" સ્થિતિમાં રહેશો, તેટલી વધુ શક્યતા છે કે તમે વધારાની ખરીદી કરો - એક પ્રક્રિયા જે તમને બાહ્ય વિશ્વ, તમારી અન્ય જવાબદારીઓ અને તમારા સમયપત્રકની મર્યાદાઓથી ડિસ્કનેક્ટ રાખે છે. (ફોટો - પિક્સેબે)

શોપિંગ સેન્ટર તમને આકર્ષિત કરવા માટેની માત્ર એક રણનીતિ નથી અપનાવતા તે એ પ્રકારની લાઈટીંગ વ્યવસ્થા, તાપમાન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કરી એક વિશેષ પ્રકારનો માહોલ પણ બનાવે છે. જે તમારો મૂડ સારો બનાવે છે. (Photo - Pixabay)

આવો માહોલ તમારા તણાવને ઓછો કરવામાં મદદ કરે છે અને એક એવુ વાતાવરણ બનાવે છે જ્યા તમે શાંતિથી ખરીદી કરવાના વિકલ્પને જોતા ખર્ચ કરવા માટે અપ્રત્યક્ષ રીતે પ્રોત્સાહિત થાઓ છો. આથી સુપરમાર્કેટ હંમેશા સ્લો મ્યુઝિક વગાડે છે. જેથી શાંત અને તણાવમુક્ત માહોલ બની રહે. જેનાથી તમે સ્ટોરમાં વધુ સમય સુધી રોકાઈ શકો. (Photo - Pixabay)
Published On - 2:46 pm, Fri, 13 March 26