
ત્યારબાદ વર્ષ 2010માં થયેલા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 2 અને 5 રુપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ દરમિયાન જાહેર કરાયેલા સિક્કાની એક બાજુ કોમનવેલ્થ ગેમ્સનો લોગો અને બીજી બાજુ અશોક સ્તંભનું ચિહ્ન હતુ.

ગોળ સિક્કા બનાવવા પાછળનું કારણ એ છે કે તેમને કાપવા અને તેમનો આકાર બદલવો મુશ્કેલ છે. બીજી બાજુ, ચોરસ અને અન્ય આકારના સિક્કાઓની ડિઝાઇનમાં ફેરફાર કરવો ખૂબ જ સરળ હતો, જેનાથી તેમનું મૂલ્ય ઘટશે. ગોળ સિક્કાઓમાં ફેરફાર કરીને તેમની કિંમત ઘટાડી શકાતી નથી.

બીજી વાત એરપોર્ટ, ઓફિસ, રેલવે સ્ટેશન અને વેટ ચેકને લઈ દરેક પ્રકારની વેંડિંગ મશીનમાં સિક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય આકારના સિક્કાઓ કરતાં ગોળ સિક્કા વેન્ડિંગ મશીનમાં નાખવા સરળ છે. એવું પણ કહેવાય છે કે, ગોળ સિક્કા ગણવા અને એકઠા કરવા સરળ છે. (all photo : canva)