
ઉનાળાની ઋતુમાં અવારનવાર છાશ પીવાની સલાહ આપવામાં આવે છે. છાશ પીવાથી પેટ ઠંડું રહે છે. ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાથી માત્ર ગટ હેલ્થ (પાચનતંત્ર) સુધારી શકાતું નથી પરંતુ ડિહાઇડ્રેશનના જોખમને પણ ઘટાડી શકાય છે.

જો કે, કેટલાક લોકોએ છાશનું સેવન કરવાનું ટાળવું જોઈએ અન્યથા તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. એવામાં ચાલો ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાના કેટલાક સાઈડ ઈફેક્ટ્સ વિશે માહિતી મેળવીએ.

કિડની સંબંધિત સમસ્યાઓ: હેલ્થ એક્સપર્ટ્સના મતે, જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય તેમણે છાશનું સેવન ટાળવું જોઈએ, નહીંતર મુશ્કેલી વધી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, છાશમાં રહેલું પોટેશિયમ અને ફોસ્ફરસ કિડની સંબંધિત સમસ્યામાં વધારો કરવાનું કામ કરી શકે છે.

શરદી, ઉધરસ અને ઝાડા: જો તમને શરદી, ઉધરસ અથવા ગળામાં તકલીફ હોય તો તમારે છાશ ન પીવી જોઈએ. હકીકતમાં છાશની તાસીર ઠંડી હોય છે. ઠંડી તાસીરવાળી છાશ શરદી અને ઉધરસની સમસ્યા વધારી શકે છે. આ જ કારણ છે કે, ગળામાં ખરાશ હોય ત્યારે પણ છાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આવી સમસ્યાઓ હોય ત્યારે છાશથી અંતર બનાવી લેવામાં જ સમજદારી છે.

લેક્ટોઝ ઈન્ટોલરન્સ (પાચન સંબંધિત સમસ્યા): શું તમે લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? જો હા, તો તમારે તમારા ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાનું ટાળવું જોઈએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, છાશ દૂધમાંથી બને છે અને જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્ટ હોય છે, તેઓ દૂધ પચાવી શકતા નથી. જો લેક્ટોઝ ઈન્ટોલરન્ટ હોવા છતાં છાશનું સેવન કરવામાં આવે તો પાચન પર નકારાત્મક અસર પડી શકે છે.