
પમકીન સીડ્સ ખાવાથી વિટામિન Eની ઉણપ દૂર કરવામાં મદદ મળી શકે છે. વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે બદામ ખાવાની પણ ભલામણ કરવામાં આવે છે. સૂર્યમુખીના બીજમાં પણ વિટામિન Eની નોંધપાત્ર માત્રા હોય છે.

વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે પોષક તત્વોથી ભરપૂર એવોકાડો તમારા ડાયટમાં શામેલ કરી શકાય છે.

કીવી અને કેરીમાં પણ વિટામિન E ની નોંધપાત્ર માત્રા હોય છે. જો કે શ્રેષ્ઠ પરિણામો માટે આ ખોરાક યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવા જોઈએ.

વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે ઇંડાનું સેવન કરી શકાય છે. ઇંડામાં વિટામિન E સહિત ઘણા પોષક તત્વો નોંધપાત્ર માત્રામાં હોય છે. વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે મગફળી પણ ખાઈ શકાય છે.

જો તમે વિટામિન E ની ઉણપ દૂર કરવા માંગતા હોય તો તમે તમારા ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.