
ભગવાન શિવના હાથમાં ડમરુ આવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી સરસ્વતી સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટ થયા હતા ત્યારે તેમણે પોતાની વીણાથી સૃષ્ટિને અવાજ આપ્યો હતો, પરંતુ આ અવાજમાં કોઈ સૂર કે સંગીત નહોતું. તે સમયે ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરુ વગાડ્યું અને તે ડમરુના ધ્વનિ, તાલ અને સંગીતથી બ્રહ્માંડમાં ધ્વનિનો જન્મ થયો. શિવપુરાણ અનુસાર એવું કહેવાય છે કે ડમરુ સ્વયં ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે.

ભગવાન શિવના ગળામાં હંમેશા એક નાગ હોય છે ,જેનું નામ વાસુકી છે. શિવપુરાણમાં આ સાપ વિશે કહેવામાં આવ્યું છે કે તે સાપનો રાજા છે અને તે નાગલોક પર રાજ કરે છે. સમુદ્ર મંથન દરમિયાન, તેણે દોરડાનું કામ કર્યું જેની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. એવું કહેવાય છે કે વાસુકી નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને નાગલોકનો રાજા બનાવ્યા અને તેમને તેમના ગળામાં આભૂષણની જેમ લપેટી રાખવાનું વરદાન પણ આપ્યું. જેના કારણે ભગવાન શિવની સુંદરતામાં વધુ વધારો થયો અને નાગલોકના રાજા વાસુકી પણ અમર થઈ ગયા.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 10:19 am, Mon, 19 February 24