
તરબૂચના બીજમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે. આ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

તરબૂચના બીજ પણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ બીજમાં પ્રોટીન પણ જોવા મળે છે જે કોલેજન વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે.

તરબૂચના બીજમાં હાજર ઝિંક અને મેગ્નેશિયમ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તરબૂચના બીજ ખૂબ ફાયદાકારક છે. તરબૂચના બીજમાં હાજર મેગ્નેશિયમ અને પ્રોટીન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. (નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.)(All image- canva)