
લાંબા સમય સુધી ચાલવા છતાં જો શરીરની મુદ્રા યોગ્ય ન હોય તો આરોગ્ય પર તેનો સકારાત્મક અસર થતી નથી. ખભા સીધા રાખો, ગળા-પીઠ સીધી રાખો અને હાથ-પગને સ્વાભાવિક રીતે હલાવો. યોગ્ય મુદ્રા સાથે ચાલવાથી શરીરને સાચો લાભ મળે છે. ( Credits: Getty Images )

જો તમે રોજિંદા ચાલવાની ટેવ બનાવો છો, તો આરામદાયક અને સારી ગુણવત્તાવાળા જૂતા પહેરવા ખૂબ જરૂરી છે. ચંપલ અથવા નબળી ક્વોલિટીના જૂતા પહેરીને લાંબા સમય સુધી ચાલવાથી પગમાં દુખાવો અથવા અન્ય તકલીફ થઈ શકે છે. ( Credits: Getty Images )

ચાલતી વખતે ગતિનું સંતુલન જાળવવું જરૂરી છે. ઘણા લોકો ક્યારેક વધારે ઝડપથી ચાલે છે તો ક્યારેક ખૂબ ધીમે ચાલે છે, પરંતુ ચાલવું હંમેશા એકસરખા લયમાં ચાલવું શ્રેષ્ઠ ગણાય છે. તંદુરસ્તી માટે ખાસ કરીને તેજ ગતિએ ચાલવું વધુ લાભદાયી સાબિત થાય છે. ( Credits: Getty Images )

જો ચાલતી વખતે તરસ લાગે તો થોડું પાણી પીવું જોઈએ અને પછી ફરી ચાલવાનું શરૂ કરવું જોઈએ. લોકો ચાલતી વખતે પાણી પીવાની આદત હોતી નથી, પરંતુ આ આરોગ્ય માટે યોગ્ય નથી. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )