
વિટામિન B કોમ્પ્લેક્સની ઉણપ : વિટામિન B6 અને B12 મગજની યોગ્ય કામગીરી અને મૂડને નિયંત્રિત કરતા ન્યુરોટ્રાન્સમીટરના નિર્માણ માટે જરૂરી છે. તેની ઉણપથી થાક, સુસ્તી, તણાવ વધી શકે છે અને તેનાથી સતત વ્યક્તિને ગુસ્સો આવે છે. (Image Source | iStock)

વિટામિન Dની ઉણપ : વિટામિન Dની ઉણપને ડિપ્રેશન, ચિંતા અને મૂડ સ્વિંગ્સ સાથે પણ જોડવામાં આવે છે. વિટામિન Dની ઉણપને કારણે પણ સતત ગુસ્સો આવે છે. વિટામિન D મૂડને સ્થિર રાખતા હોર્મોન્સના નિર્માણમાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

ઝિંકની ઉણપ : ઝિંક શરીરના માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખે છે. તેની ઉણપથી ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળી શકે છે. (Image Source | iStock)

મૂડ સુધારતા ખોરાકનો કરો સમાવેશ : તમે તમારા ડાયટમાં કેટલાક મૂડ-બુસ્ટિંગ ખોરાકનો સમાવેશ કરી શકો છો. ઉદાહરણ તરીકે, વિટામિન B6 અને વિટામિન B12 થી ભરપૂર ખોરાક ખાઓ. (Image Source | iStock)

બટાકાં, કેળા, બદામ, અખરોટ, મગફળી, ઓટ્સ, બ્રાઉન રાઈસ, ઘઉં, ચણા, રાજમા, દાળ, એવોકાડો, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન B6થી હોય છે. દૂધ, દહીં, પનીર, ચીઝ, ફોર્ટિફાઇડ પ્લાન્ટ મિલ્કમાં વિટામિન B12 હોય છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)