
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બહાર વડનું ઝાડ શુભ માનવામાં આવે છે, પણ ઘરની અંદર વડનું ઉગવું અશુભ છે. તેમજ વડનું ઝાડ ઘરની એકદમ પાસે પણ ના હોવું જોઈએ. કારણ કે વડના ઝાડના મૂળ ઝડપથી વધે છે આથી તે ઘરના પાયાને હલાવી દે છે આથી ઘરમાં કે ઘરની એકદમ પાસે ના હોવું જોઈએ.

આ સિવાય જો વડનું ઝાડ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોય તો ધનનું નુકસાન થાય છે.

જો વડનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તે ધન અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.

આ સિવાય જો ઘરની સામે કે આસપાસ વડનું ઝાડ હોય પરંતુ સૂકું હોય, તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમારા ઘરની આસપાસ હંમેશા લીલાછમ વૃક્ષો હોવા જોઈએ. સુકા વૃક્ષો ઘરમાં બીમારીનું પ્રતિનિધિત્વ કરે છે.