
રસોડામાં ખાલી બોક્સ કે ડબ્બા ન રાખો: માન્યતાઓ અનુસાર, રસોડામાં ક્યારેય ખાલી બોક્સ કે ડબ્બા ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જો તમે ગરીબીથી બચવા માંગતા હોવ, તો ભૂલથી પણ રસોડામાં ખાલી બોક્સ કે ડબ્બા મૂકી ન રાખો.

રસોડામાં કચરો ન રાખો: વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, તમારે ભૂલથી પણ રસોડામાં કચરો ન રાખવો જોઈએ. રસોડામાં કચરો રહી જાય છે તો આખા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ઘરનું વાતાવરણ ગંદુ તેમજ પ્રદૂષિત થઈ જાય છે. રસોડામાં કચરો રાખવાથી માત્ર આર્થિક નુકસાન જ થતું નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. જો તમે ગંભીર રોગ અને જંતુઓથી દૂર રહેવા માંગતા હોવ, તો તમારે હંમેશા રસોડાને સ્વચ્છ રાખવું જોઈએ.
Published On - 9:09 pm, Tue, 29 July 25