
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એવા છોડ લગાવવા જોઈએ જેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને આનંદમય રહે. પરંતુ જાણતા-અજાણતા ઘણા લોકો એવા છોડ લગાવી બેસે છે જે ખરાબ સમય લઈને આવે છે. છોડ ઘરની સુંદરતા તો વધારે જ છે, સાથે જ વાતાવરણને પણ પ્રફુલ્લિત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક છોડ ઘરમાં લગાવી શકાતો નથી? વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડને ઘર માટે અશુભ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે આ છોડને ઘરની અંદર લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી પરિવારમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ નસીબને ખાઈ જાય છે, તેથી તેને તુરંત ઘરની બહાર કરી દેવા જોઈએ. ચાલો જાણીએ આ કયા છોડ છે.

કેક્ટસ અથવા કાંટાળા છોડ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ગુલાબ સિવાય અન્ય કોઈ પણ પ્રકારના કાંટાળા છોડ ન લગાવવા જોઈએ. માનવામાં આવે છે કે આ છોડ ઘરના સભ્યો વચ્ચે તણાવ પેદા કરે છે અને પરિવારના લોકોની પ્રગતિમાં અવરોધ લાવે છે.

બોન્સાઈ: ઘરમાં બોન્સાઈ છોડ પણ ન લગાવવો જોઈએ. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી પ્રગતિ અટકી જાય છે અને કરિયરની રફ્તાર ધીમી પડી જાય છે.

આમલીનો છોડ: આ છોડને પણ ઘરમાં લગાવવો અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, આમલીના ઝાડ પર નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. તેથી તેને ઘરમાં લગાવવાથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

દૂધ વાળા છોડ (મિલ્કવીડ): આ છોડ તેના નામ પ્રમાણે જ સફેદ દૂધ માટે જાણીતો છે. તે પતંગિયાઓ માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. જે છોડના પાન કે ડાળી તોડવાથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય તેવા છોડ ઘરમાં ન લગાવવા જોઈએ. વાસ્તુ મુજબ આવા છોડ ઘરમાં કંગાળી લાવે છે અને દેવું પણ વધવા લાગે છે. રબર પ્લાન્ટ, આંકડો (કેલોટ્રોપિસ), યુફોર્બિયા(Euphorbia)

સુકાઈ ગયેલા છોડ: જો તમારા ઘરનો કોઈ છોડ સુકાઈ ગયો હોય તો તેને તરત જ બહાર કાઢી નાખો. સુકાયેલા છોડ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે, જેનાથી ભાગ્ય નબળું પડવા લાગે છે.

ઘરમાં કયા છોડ લગાવવા શુભ?: ઘરમાં તુલસી, મની પ્લાન્ટ, જેડ પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ અને શમીનો છોડ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સારો સમય અને સમૃદ્ધિ લઈને આવે છે.