
જ્યારે વાંસનો છોડ યોગ્ય સ્થાન પર મુકવામાં આવે છે ત્યારે તે ઘરના વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે ઘરના સૌભાગ્ય અને શાંતિને બળ આપે છે. આ છોડ એવા શુભ ફળ આપી શકે છે કે જેના કારણે પરિવારના જીવનમાં આનંદ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. ( Credits: Getty Images )

વાસ્તુશાસ્ત્ર મુજબ, વાંસનો છોડ હંમેશા યોગ્ય દિશામાં લગાવવો જોઈએ. તેને ઘરના પૂર્વ કે ઉત્તર દિશામાં મુકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો વાંસનો છોડ ઘરમાં મૂકવાથી ધન વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ( Credits: Getty Images )

વાંસનો છોડ ઘરમાં શૌચાલય અથવા બાથરૂમની નજીક કદી પણ ન મૂકવો જોઈએ, કારણ કે તે સ્થળો અશુદ્ધ માનવામાં આવે છે. રસોડું પણ એવું સ્થાન છે જ્યાં વાંસનો છોડ મુકવો અનુકૂળ નથી. આવા સ્થળોએ આ છોડ મુકવાથી તેની સકારાત્મકતા નષ્ટ થઈ શકે છે.છોડને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ અને તેના પાણીની સમયસર દેખરેખ લેવી જરૂરી છે. નિયમિત રીતે પાણી બદલી આપવાથી છોડ તાજું રહે છે. એવી માન્યતા છે કે લાલ રિબનથી બંધાયેલા વાંસના છોડને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર કે ઓફિસમાં મૂકવાથી સફળતા અને વિકાસના અવસર વધે છે. ( Credits: Getty Images )

એવું માનવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્રના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર ઘરમાં વાંસનો છોડ મૂકવામાં આવે, તો આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને બિનજરૂરી ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે. આ છોડ તેના શુભ પ્રભાવ માટે જાણીતો છે, જે પરિવારના ભાગ્યમાં નવા માર્ગો ખોલી શકે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )