
જોકે, વૈભવ સૂર્યવંશીના કોચ ઈંગ્લેન્ડમાં ભારતની અંડર 19 ટીમ માટે જે રીતે બેટિંગ કરી છે તેનાથી ખુશ છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે તેણે ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં પણ પોતાની કુદરતી રમત જાળવી રાખી છે.

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ સામેની પહેલી 2 વનડેમાં 175 થી વધુના સ્ટ્રાઈક રેટથી 48 બોલમાં 93 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 છગ્ગા ફટકાર્યા છે. શ્રેણીમાં અત્યાર સુધી તેનો સ્ટ્રાઈક રેટ અને તેણે ફટકારેલા છગ્ગા કોઈપણ બેટ્સમેનની તુલનામાં સૌથી વધુ છે.