
રાજ્ય સરકાર તરફથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર શ્રી પટેલિયાને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે, જેથી પૂરતી તકેદારી સાથે આગળની કાર્યવાહી થઈ શકે.

પૂનમના કારણે મહી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. મોડી સાંજે મળેલા મૃતદેહોમાંથી બે વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાં દ્વારકાના મહેન્દ્રભાઈ પર્વતભાઈ હથીયા અને આંકલાવના વિષ્ણુભાઈ રાવલનો સમાવેશ થાય છે. ત્રીજા મૃતકની ઓળખ માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
Published On - 9:58 pm, Wed, 9 July 25