
મીઠા લીમડાના પત્તા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમાં રહેલા 'એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ' તણાવ ઘટાડે છે અને ધમનીઓમાં (આર્ટરીઝ) પ્લાક જમા થવાથી રોકે છે. જણાવી દઈએ કે, ધમનીઓમાં પ્લાક જમા થવાને 'એથરોસ્ક્લેરોસિસ' કહેવાય છે. આ હૃદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. બીજું કે, તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે.

મીઠો લીમડો 'આયર્ન અને ફોલિક' એસિડનો સારો સ્ત્રોત છે. હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન જરૂરી છે, જ્યારે ફોલિક એસિડ રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. આથી, સવારે ખાલી પેટ મીઠા લીમડાના પત્તા ચાવવા એ ખાસ કરીને એનિમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે.

મીઠા લીમડાના પત્તા એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપૂર હોય છે. તે ખીલ, ડાઘ અને ચેપને રોકવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે, મીઠા લીમડાના પત્તા વાળ માટે વરદાનરૂપ છે. તે વાળ ખરવા, અકાળે સફેદ થવા અને ખોડો ઘટાડવામાં મદદ કરે છે.
Published On - 4:03 pm, Sun, 5 October 25