
દેશમાં એન્જલ ટેક્સ વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યો હતો.આ ટેક્સ અનલિસ્ટેડ બિજનેસ પર લાગુ કરવામાં આવ્યો હતો. જો સરળભાષામાં સમજીએ તો કોઈ પણ સ્ટાર્ટઅપ કરવા માટે ભંડોળ લેવામાં આવતુ હતુ તેના પર પણ ટેક્સ ચૂકવતો હતો. આ સમગ્ર પ્રક્રિયા આવકવેરા અધિનિયમ 1961ની કલમ 56 (2) (vii) (b) હેઠળ કરવામાં આવી હતી.

વાસ્તવિકતામાં સરકારનું માનવું હતુ કે એન્જલ ટેક્સ લગાવવાથી મની લોન્ડરિંગને રોકી શકાય છે. આ સિવાય સરકાર આ ટેક્સની મદદથી તમામ પ્રકારના બિઝેસને ટેક્સના હેઠળ સાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે એન્જલ ટેક્સને લઈને દેશના ઘણા સ્ટાર્ટઅપ્સને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ ટેક્સને નાબૂદ કરવાની માગ કરવામાં આવી હતી.

એન્જલ ટેક્સને લઈ મુશ્કેલી ત્યારે આવતી હતી. જ્યારે સ્ટાર્ટઅપને મેળવેલ રોકાણ તેના ફેર માર્કેટ વેલ્યુ (FMV) કરતા વધુ હોય ત્યારે સ્ટાર્ટઅપને 30.9 ટકા સુધી ટેક્સ ચૂકવવો પડતો હતો.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે સરકારે આ વર્ષે એન્જલ ટેક્સને નાબૂદ કર્યો છે.