
હળદર : હળદરનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં થાય છે. હળદર સાથે મરીનું સેવન કરવાથી કર્ક્યુમિનનું શોષણ વધુ સારી રીતે થઈ શકે છે. નિષ્ણાતોના મતે, કર્ક્યુમિનમાં એન્ટીઑક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે કેન્સર સામે રક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.

બ્રોકલી : બ્રોકલીમાં એવા તત્વો હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપવામાં મદદરૂપ બની શકે છે. બ્રોકલીને બાફીને અથવા થોડું પકાવીને ખાવું વધુ ફાયદાકારક હોય છે.

આમળા : આમળામાં ગેલિક એસિડ અને એલેજિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, આમળા કીમોથેરાપીની કેટલીક આડઅસરો ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.

ગ્રીન ટી : જાપાનમાં કેન્સરના પ્રમાણ ઓછા હોવાના સંભવિત કારણોમાં ગ્રીન ટીનું નિયમિત સેવન છે. ગ્રીન ટીમાં એપિગેલોકેટેચિન ગેલેટ (EGCG) નામનું તત્વ હોય છે. જેના પર વિવિધ સંશોધનો થયા છે. કેટલીક સ્ટડીઝમાં તે કેન્સર કોષોના વિકાસને ધીમો કરવામાં મદદરૂપ છે.

અળસીના બીજ : અળસીના બીજમાં લિગ્નાન્સ નામના પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે. જે એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે. નિષ્ણાતોના મતે, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના સંદર્ભમાં તેના સંભવિત લાભો દર્શાવવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે,, નિયમિત અળસીના બીજનું સેવન ટ્યુમરની વૃદ્ધિ ધીમી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.