
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તુલસીની આસપાસ વડ, પીપળ અથવા અન્ય ઘન છાયા આપતા મોટા વૃક્ષ રોપવા ટાળવા જોઈએ. માન્યતા છે કે આવા વૃક્ષોની છાયા તુલસી પર પડવી અશુભ માનવામાં આવે છે. તુલસી હંમેશા એવી જગ્યાએ વાવવી જોઈએ જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ અને તાજી હવા મળે, જેથી તે સ્વસ્થ અને હરિયાળી રહી શકે.

વાસ્તુશાસ્ત્રમાં સલાહ આપવામાં આવે છે કે તુલસીની નજીક ક્યારેય સુકાઈ ગયેલા છોડ ન રાખવા જોઈએ. માન્યતા છે કે આવા સુકાયેલા છોડ નકારાત્મક ઊર્જાનું સ્ત્રોત બની શકે છે, જે ઘરમાં નકારાત્મકતા વધારી શકે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન કરી શકે છે. (Credits: - Canva)

વાસ્તુશાસ્ત્ર મુજબ, તુલસીની આસપાસ એવા છોડ ન વાવવા જોઈએ જેને વધારાનું પાણી જરૂરી હોય. વધારે પાણી તુલસીના વૃદ્ધિ માટે અનુકૂળ નથી અને સતત ભેજવાળી જમીન તેના મૂળને નુકસાન પહોંચાડી શકે છે.આવી પરિસ્થિતિમાં તુલસીનો છોડ ધીમે ધીમે નબળો પડીને સુકાઈ શકે છે. (Credits: - Canva)

વાસ્તુશાસ્ત્ર મુજબ, એવા છોડ જેને કાપવા કે તોડવા પર દૂધિયું સફેદ પ્રવાહી નીકળે છે, તે તુલસીની નજીક વાવવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે આવા છોડ ઘરનાં વાતાવરણમાં નકારાત્મક અસર પેદા કરી શકે છે,જે વાસ્તુ દોષનું કારણ બની શકે છે અને પરિવારજનોના આરોગ્ય પર પણ પ્રતિકૂળ પ્રભાવ મૂકી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)