
એલોવેરા જ્યુસ: વાળને મજબૂત બનાવવા માટે, ચમકદાર બનાવવા માટે અને કાળા બનાવવા માટે એલોવેરા જ્યુસ પીવો જોઈએ. આનાથી વાળ સ્વસ્થ રહે છે અને નાની ઉંમરે વાળ જલ્દી સફેદ થતાં નથી.

આયુર્વેદિક તેલ માલિશ: કેટલીક ભારતીય ઔષધિઓ વાળ માટે ગુણકારી હોય છે. ગુણકારી ઔષધિની વાત કરીએ તો, તેમાં ભૃંગરાજ, આમળા, બ્રાહ્મી કરી પત્તાનો સમાવેશ થાય છે. જો બધી ઔષધિને સાથે ભેળવવામાં આવે અને તેનું તેલ બનાવીને તેની માલિશ વાળ પર કરવામાં આવે તો વાળ સ્વસ્થ બને છે.

યોગ્ય આહાર : વાળને જલ્દી સફેદ થતાં અટકાવવા હોય અને વાળ સ્વસ્થ રાખવા હોય તો સંતુલિત અને પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. યોગ્ય આહારમાં તમે લીલા શાકભાજીનું અને ફળોનું સેવન કરી શકો છો.