
દરિયાઈ સપાટીથી 15,400 ફૂટની ઊંચાઈએ LAC ની નજીકના અત્યંત કઠોર અને દુર્ગમ પ્રદેશમાં 21 ઓક્ટોબર 1959ના રોજ રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સીઆરપીએફના 10 જવાનોના ઐતિહાસિક અને પરાક્રમી બલિદાનનો આ પુરાવો છે.

આ સ્મારક ભારતીય પોલીસ દળો માટે એક પવિત્ર સ્થળ છે. જ્યાં દર વર્ષે આ પોલીસ અધિકારીઓની યાદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 1960 માં સ્મારક તરીકે શરૂ થયેલ આ સમારંભની દેશભરમાં સેવા આપતા અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા અત્યંત આદરણીય પરંપરા છે.