
તણાવ દૂર કરે છે - તે કુદરતી તણાવ રાહત તરીકે પણ કામ કરે છે. રાત્રે ગરમ દૂધમાં એક ચપટી જાવિત્રી ઉમેરવાથી મન શાંત થાય છે, તણાવ ઓછો થાય છે અને શાંતીથી ઊંઘ આવે છે.

ખીલની સારવાર કરે છે - જાવિત્રી ખીલ, તૈલી ત્વચા અથવા નિસ્તેજ ત્વચા જેવી હોર્મોનલ અસંતુલન સંબંધિત ત્વચા સમસ્યાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો કે તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર - જાવિત્રીમાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન સી અને બળતરા વિરોધી ગુણધર્મોનું શક્તિશાળી મિશ્રણ ત્વચા પર કમાલનું કામ કરે છે. ધીમે-ધીમે ત્વચાનો રંગ અને બનાવટ સુધારે છે. નિયમિત ઉપયોગ રંગને સમાન બનાવે છે, ડાઘ ઘટાડે છે અને સ્કીનની ચમકને નિખારે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)