Travel with tv9 : વેકેશનમાં પરિવાર સાથે ફરવાનો પ્લાન કરી રહ્યાં છો ? જામનગરમાં આવેલા Hidden gem સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં

|

Apr 03, 2025 | 1:52 PM

ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે ટ્રીપ પ્લાન કરતા હોય છે. તો કેટલાક લોકો મિત્રો સાથે ફરવા જવાનું વિચારતા હોય છે. તમે જામનગરના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

1 / 5
જામનગર ગુજરાતના દરિયાકિનારા પાસે આવેલું શહેર છે. તમે ઉનાળા વેકેશનમાં બાળકો સાથે જામનગરમાં આવેલા કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

જામનગર ગુજરાતના દરિયાકિનારા પાસે આવેલું શહેર છે. તમે ઉનાળા વેકેશનમાં બાળકો સાથે જામનગરમાં આવેલા કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

2 / 5
ઉનાળા વેકેશનમાં તમે જામનગર જઈ રહ્યાં છો ત્યારે તમારે મરીન નેશનલ પાર્કની મુલાકાત લેવી જોઈએ. આ મરીન નેશનલ પાર્ક આશરે 458 ચોરસ કિલોમીટરમાં વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ પણ આવે છે.

ઉનાળા વેકેશનમાં તમે જામનગર જઈ રહ્યાં છો ત્યારે તમારે મરીન નેશનલ પાર્કની મુલાકાત લેવી જોઈએ. આ મરીન નેશનલ પાર્ક આશરે 458 ચોરસ કિલોમીટરમાં વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ પણ આવે છે.

3 / 5
તમે જામનગર પાસે આવેલા બેચલેટ બીચની મુલાકાત પણ લઈ શકો છો. આ બીચ અનએક્સપ્લોર છે. બેચલેટ બીચથી મોટા ભાગના પ્રવાસીઓ અજાણ છે. બીચ પર તમે સનસેટ અને સનરાઈસના સુંદર દ્રશ્યો જોઈ શકો છો.

તમે જામનગર પાસે આવેલા બેચલેટ બીચની મુલાકાત પણ લઈ શકો છો. આ બીચ અનએક્સપ્લોર છે. બેચલેટ બીચથી મોટા ભાગના પ્રવાસીઓ અજાણ છે. બીચ પર તમે સનસેટ અને સનરાઈસના સુંદર દ્રશ્યો જોઈ શકો છો.

4 / 5
આ ઉપરાંત તમે લાખોટા પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. સૂર્યાસ્તના સમયે લાખોટા પેલેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પેલેસ લાઈટથી શણગારેલો હોવાથી ખૂબ જ અદભુત નજારો જોવા મળશે.

આ ઉપરાંત તમે લાખોટા પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. સૂર્યાસ્તના સમયે લાખોટા પેલેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પેલેસ લાઈટથી શણગારેલો હોવાથી ખૂબ જ અદભુત નજારો જોવા મળશે.

5 / 5
જામનગરમાં 1907 અને 1915 ની વચ્ચે જામ રણજીત સિંહ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો, જે આજે રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ મહેલનું સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષે છે. તમે આ મહેલની સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.

જામનગરમાં 1907 અને 1915 ની વચ્ચે જામ રણજીત સિંહ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો, જે આજે રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ મહેલનું સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષે છે. તમે આ મહેલની સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.

Next Photo Gallery