
મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર સફેદ ટપકાં કરે છે, તથા મોરના પીંછાઓ, વાંસની રંગીન ટોપીઓ અને બળદના ગળે બાંધવામાં આવે તેવા ઘૂઘરાઓનો કંદોરો બનાવી પોતાની કેડ ઉપર બાંધે છે. ત્યાર પછી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે.

આદિવાસીઓના કવાંટના મેળામાં સંગીત-નૃત્યનું ખાસ મહત્વ છે. જોડિયા પાવા, ઢોલ અને પીહો જેવા વિવિધ સંગીતના સાધનોથી મેળાનું દ્રશ્ય અનેરું બને છે. મેળામાં આવેલ આદિવાસીઓનું રંગબેરંગી કપડાં અને ઘરેણાંઓથી તેઓ અલગ જ દેખાય છે. કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે.

વડોદરાથી આશરે 114 કિલોમીટરના દુર આવેલા ભીલ, રાઠવા, નાયકા અને ધાનુક આદિવાસીઓનું વતન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ગામમાં હોળી પછીના ત્રીજા દિવસે કવાંટમાં ગેરનો મેળો યોજાય છે. ( All photo : gujarattourism)
Published On - 5:26 pm, Mon, 10 March 25