Travel tips : હોળી બાદ આ સ્થળે ભરાય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો, ફરવા જવાનો બનાવી લો પ્લાન

છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામમાં ગેરનો મેળો ભરાય છે, જે ભીલ જાતિઓનું વતન છે, જે વડોદરાથી લગભગ 114 કિમી દૂર છે. 16 માર્ચના રોજ ક્વાંટમાં ગેરનો મેળો ભરાશે. તમે પણ હોળી પછી આ મેળામાં જવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Mar 10, 2025 | 5:27 PM
4 / 6
  મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર સફેદ ટપકાં કરે છે, તથા મોરના પીંછાઓ, વાંસની રંગીન ટોપીઓ અને બળદના ગળે બાંધવામાં આવે તેવા ઘૂઘરાઓનો કંદોરો બનાવી પોતાની કેડ ઉપર બાંધે છે. ત્યાર પછી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે.

મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર સફેદ ટપકાં કરે છે, તથા મોરના પીંછાઓ, વાંસની રંગીન ટોપીઓ અને બળદના ગળે બાંધવામાં આવે તેવા ઘૂઘરાઓનો કંદોરો બનાવી પોતાની કેડ ઉપર બાંધે છે. ત્યાર પછી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે.

5 / 6
 આદિવાસીઓના કવાંટના મેળામાં સંગીત-નૃત્યનું ખાસ મહત્વ છે. જોડિયા પાવા, ઢોલ અને પીહો જેવા વિવિધ સંગીતના સાધનોથી મેળાનું દ્રશ્ય અનેરું બને છે. મેળામાં આવેલ આદિવાસીઓનું રંગબેરંગી કપડાં અને ઘરેણાંઓથી તેઓ અલગ જ દેખાય છે. કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે.

આદિવાસીઓના કવાંટના મેળામાં સંગીત-નૃત્યનું ખાસ મહત્વ છે. જોડિયા પાવા, ઢોલ અને પીહો જેવા વિવિધ સંગીતના સાધનોથી મેળાનું દ્રશ્ય અનેરું બને છે. મેળામાં આવેલ આદિવાસીઓનું રંગબેરંગી કપડાં અને ઘરેણાંઓથી તેઓ અલગ જ દેખાય છે. કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે.

6 / 6
વડોદરાથી આશરે 114 કિલોમીટરના દુર આવેલા ભીલ, રાઠવા, નાયકા અને ધાનુક આદિવાસીઓનું વતન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ગામમાં હોળી પછીના ત્રીજા દિવસે કવાંટમાં ગેરનો મેળો યોજાય છે.    ( All photo : gujarattourism)

વડોદરાથી આશરે 114 કિલોમીટરના દુર આવેલા ભીલ, રાઠવા, નાયકા અને ધાનુક આદિવાસીઓનું વતન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ગામમાં હોળી પછીના ત્રીજા દિવસે કવાંટમાં ગેરનો મેળો યોજાય છે. ( All photo : gujarattourism)

Published On - 5:26 pm, Mon, 10 March 25