
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમ વીકએન્ડમાં જરુર મુલાકાત લો. બાલાસિનોર અમદાવાદથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલું છે.

આ મ્યુઝિયમ 25,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં ભોંયરામાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર 10 ગેલેરીઓ છે જેમાં વિવિધ પ્રકારના પ્રદર્શનો (ફિલ્મો અને પ્રદર્શનો) દર્શાવવામાં આવ્યા છે.

જો આપણે બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમના ટિકિટની વાત કરીએ તો એન્ટ્રી ચાર્જ Rs 30, Adult - Rs 70, Foreign tourist - Rs 400/છે.જ્યા પ્રોફેશનલ કેમેરાનો ચાર્જ રૂ. 700, 5-ડી થિયેટર રૂ. 50, વીઆર ફિલ્મો 10 રુપિયાનો ચાર્જ રહેશે.

તમને જણાવી દઈએ કે,બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે. અહી તમે તમારી પ્રાઈવેટ કાર લઈને પણ મુલાકાત લઈ શકો છો. (all Photo : canva)