
ગિરનારની ફરતે યોજાતી આ 36 કી.મીની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે.

ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા 1 નવેમ્બર થી 5 નવેમ્બર સુધી યોજાશે.એવુ પણ કહેવાય છે કે ગરવા ગિરનારમાં 33 કોટી દેવતાઓનો વાસ છે અને આથી જ જે કોઈ વ્યક્તિ ગિરનારની પરિક્રમા કરે છે તેને સાત જન્મનું પૂણ્ય પ્રાપ્ત થાય છે. આથી પૂણ્યનું ભાથુ બાંધવા માટે દર વર્ષે યાત્રિકો દૂર દૂરથી ઉમટી પડે છે.

લાખો લોકો ભક્તિ ભજન અને ભાવથી આ પરિક્રમા પૂર્ણ કરે છે. ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જૂનાગઢ માટે સ્પે ટ્રેનો પણ શરુ કરવામાં આવે છે. (all photo : gu.wikipedia.org)