Travel Tips : માધવપુરના મેળામાં દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તો એકઠા થશે, જાણો કેવી રીતે જશો

માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે

| Updated on: Mar 17, 2026 | 11:20 AM
1 / 6
માધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે. જે પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત સમું ગામ છે.  પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે. આ વર્ષે 27 માર્ચથી 31 માર્ચ સુધી પોરબંદરના માધવપુર ઘેડ ખાતે મેળો યોજાશે.  આ મેળો શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમુદાયને એક સાથે લાવે છે.

માધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે. જે પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત સમું ગામ છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે. આ વર્ષે 27 માર્ચથી 31 માર્ચ સુધી પોરબંદરના માધવપુર ઘેડ ખાતે મેળો યોજાશે. આ મેળો શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમુદાયને એક સાથે લાવે છે.

2 / 6
 તમને જણાવી દઈએ કે, એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.

3 / 6
કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે.પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.

કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે.પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.

4 / 6
આ મેળામાં કડછનાં મેર જાતિનાં લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.

આ મેળામાં કડછનાં મેર જાતિનાં લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.

5 / 6
ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છેઆ મેળા માટેનું એક ગીત "માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન" જાણીતું છે, જે ગુજરાતમાં લગ્ન સમયે લગ્નગીત તરીકે પણ ગવાય છે.

ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છેઆ મેળા માટેનું એક ગીત "માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન" જાણીતું છે, જે ગુજરાતમાં લગ્ન સમયે લગ્નગીત તરીકે પણ ગવાય છે.

6 / 6
માધવપુર મેળામાં કેવી રીતે જવું તો જો તમે બાય રોડ જઈ રહ્યા છો. તો માધવપુર પોરબંદર-વેરાવળ હાઈવે પર આવેલું છે. પોરબંદર, જૂનાગઢ અને સોમનાથથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે. તેમજ ટ્રેન દ્વારા જવું છે તો નજીકનું રેલ્વે સ્ટેશન પોરબંદર છે. ફ્લાઈટ દ્વારા જવા માંગો છો તો. નજીકનું એરપોર્ટ પોરબંદર છે, ત્યારબાદ રોડ માર્ગે જઈ શકાય છે.  (All photo : Gujarat tourisam)

માધવપુર મેળામાં કેવી રીતે જવું તો જો તમે બાય રોડ જઈ રહ્યા છો. તો માધવપુર પોરબંદર-વેરાવળ હાઈવે પર આવેલું છે. પોરબંદર, જૂનાગઢ અને સોમનાથથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે. તેમજ ટ્રેન દ્વારા જવું છે તો નજીકનું રેલ્વે સ્ટેશન પોરબંદર છે. ફ્લાઈટ દ્વારા જવા માંગો છો તો. નજીકનું એરપોર્ટ પોરબંદર છે, ત્યારબાદ રોડ માર્ગે જઈ શકાય છે. (All photo : Gujarat tourisam)