Travel Tips : જો તમારે ટ્રેકિંગ અને એડવેન્ચરની મજા માણવી હોય તો પહોંચી જાવ ગુજરાતના આ સ્થળે, જુઓ ફોટો

ટ્રેકિંગ, પ્રાકુતિક સૌંદર્ય તેમજ કહી શકાય કે, જો તમારે ધરતી પરનું સ્વર્ગ જોવું હોય તો, તમે એક વખત પરિવાર કે પછી મિત્રો સાથે ચોમાસાની સિઝનમાં ગિરનાર જવાનો પ્લાન બનાવી લો, આ સ્થળ તમારા માટે બેસ્ટ રહેશે.

| Updated on: Jul 11, 2025 | 5:06 PM
1 / 6
 જો તમે પણ તમારા ફ્રેન્ડ સાથે શનિ-રવિની રજામાં ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ 2 દિવસની રજામાં ગિરનાર ચોમાસાની સિઝનમાં તમારા માટે યાદગાર અને ફરવા લાયક સ્થળમાંથી એક હશે.

જો તમે પણ તમારા ફ્રેન્ડ સાથે શનિ-રવિની રજામાં ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ 2 દિવસની રજામાં ગિરનાર ચોમાસાની સિઝનમાં તમારા માટે યાદગાર અને ફરવા લાયક સ્થળમાંથી એક હશે.

2 / 6
શિયાળો,ઉનાળો કે પછી ચોમાસામું લોકો ગિરનારમાં ફરવા માટે પહોંચી જાય છે. હવે તો ગિરનારમાં રોપવેની સુવિધા પણ છે. જેના દ્વારા લોકો થોડી મિનિટોમાં જ ગિરનાર પર પહોંચી જાય છે.

શિયાળો,ઉનાળો કે પછી ચોમાસામું લોકો ગિરનારમાં ફરવા માટે પહોંચી જાય છે. હવે તો ગિરનારમાં રોપવેની સુવિધા પણ છે. જેના દ્વારા લોકો થોડી મિનિટોમાં જ ગિરનાર પર પહોંચી જાય છે.

3 / 6
ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે ગિરનાર પવિત્ર સ્થળ છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે.  ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર છે. ગિરનાર પર્વતની ચારે બાજુ 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેવું પણ કહેવામાં આવે છે.

ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે ગિરનાર પવિત્ર સ્થળ છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર છે. ગિરનાર પર્વતની ચારે બાજુ 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેવું પણ કહેવામાં આવે છે.

4 / 6
ગિરનારમાં અંબાજી મંદિર, ગોરક્ષનાથ મંદિર અને દત્તાત્રેય મંદિર સહિત અનેક મંદિરો અને ઐતિહાસિક સ્થળો છે.દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છેગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9,999 પગથિયા છે, પણ ખરેખર કદાચ 11000 પગથિયા છે.

ગિરનારમાં અંબાજી મંદિર, ગોરક્ષનાથ મંદિર અને દત્તાત્રેય મંદિર સહિત અનેક મંદિરો અને ઐતિહાસિક સ્થળો છે.દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છેગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9,999 પગથિયા છે, પણ ખરેખર કદાચ 11000 પગથિયા છે.

5 / 6
ગિરનાર પાસે એશિયાનો સૌથી લાંબો રોપવે છે, જે યાત્રાળુઓને અંબાજી મંદિર સુધી લઈ જાય છે.ગિરનારની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

ગિરનાર પાસે એશિયાનો સૌથી લાંબો રોપવે છે, જે યાત્રાળુઓને અંબાજી મંદિર સુધી લઈ જાય છે.ગિરનારની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

6 / 6
ગિરનાર કેવી રીતે પહોંચવું તો જો તમે બાય રોડ દ્વારા જવા માંગો છો તો ગુજરાતના દરેક શહેરોથી જૂનાગઢ માટે બસો તમને મળી જશે.ટ્રેન દ્વારા જૂનાગઢ પહોંચવા માટે અમદાવાદ-વેરાવળ રેલવે લાઇન પર એક્સપ્રેસ ટ્રેનો દોડે છે. જે તમને વહેલી સવારે જૂનાગઢ પહોંચાડે છે. જો તમે ફ્લાઈટ દ્વારા જૂનાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો  જૂનાગઢનું સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટ છે, જે 103 કિમી દૂર છે. (all photo : gujarat tourisam)

ગિરનાર કેવી રીતે પહોંચવું તો જો તમે બાય રોડ દ્વારા જવા માંગો છો તો ગુજરાતના દરેક શહેરોથી જૂનાગઢ માટે બસો તમને મળી જશે.ટ્રેન દ્વારા જૂનાગઢ પહોંચવા માટે અમદાવાદ-વેરાવળ રેલવે લાઇન પર એક્સપ્રેસ ટ્રેનો દોડે છે. જે તમને વહેલી સવારે જૂનાગઢ પહોંચાડે છે. જો તમે ફ્લાઈટ દ્વારા જૂનાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જૂનાગઢનું સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટ છે, જે 103 કિમી દૂર છે. (all photo : gujarat tourisam)