
તુલસીશ્યામ ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી આશરે 29 કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું એક તીર્થ સ્થળ છે.તુલશીશ્યામ પહોંચવા માટે ઉનાથી ધોકડવા અને સત્તાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ 123 કિલોમીટર દુર છે.તુલસીશ્યામની ચારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઇ ગામ નથી. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે.

કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગિરમાં આવેલું છે. જંગલની મધ્યમાં આવેલું કનકાઈ (ગીર) વિસાવદરથી માત્ર 32 કિમી દૂર છે.વરસાદની ઋતુમાંવાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણ કે, જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં 7 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે.

મૌની આશ્રમ વિસાવદર નજીક મુલાકાત લેવા માટેનું બીજું એક પવિત્ર સ્થળ છે. તેમજ તમે જૂનાગઢની પણ મુલાકાત લઈ શકો છો.વિસાવદરથી જૂનાગઢ માત્ર 44 કિલોમીટર દુર આવેલું છે.
Published On - 5:13 pm, Mon, 23 June 25