
રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.

મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી 30 કિ.મી. અને અમદાવાદથી 102 કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે.આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ વિક્રમ સંવત1083માં (ઇસ 1026 -1027માં) કર્યું હતું.

સાપુતારા ગુજરાતમાં આવેલું એક માત્ર હિલ સ્ટેશન છે. જે ડાંગ જિલ્લામાં આવેલું છે. સાપુતારા મહારાષ્ટ્રની સરહદ પર પર્વતમાળાના જંગલોમાં 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઉનાળા દરમિયાન પણ અહીં મહત્તમ તાપમાન 30°C ની આસપાસ રહે છે.આ હિલ સ્ટેશન સુધી પહોંચવા માટે વઘાઈ રેલ્વે સ્ટેશન નજીકનું રેલ્વે સ્ટેશન છે.બસ કે પ્રાઈવેટ કાર દ્વારા પણ તમે સાપુતારા જઈ શકો છો.
Published On - 4:20 pm, Mon, 21 April 25