
અન્ન અને ધન માટેનો મંત્ર: જો તમે આ મંત્રનો જાપ કરો છો, તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. આનાથી અન્ન અને ધનનો કોઈ અભાવ રહેતો નથી. આ મંત્રનો જાપ કુશ આસન પર બેસીને કરો. આનો મંત્ર 'ઓમ લક્ષ્મી નમઃ' છે.

શુભ કાર્યમાં અડચણ ના આવે તે માટે: આ મંત્રનો જાપ કરવાથી શુભ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે. આનો મંત્ર 'ઓમ હ્રીમ હ્રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ' છે.

સુખ સમૃદ્ધિ બની રહે તે માટે: આ મંત્રનો જાપ કરવાથી વિવાહિત જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમથી બંધાયેલો રહે છે. આનો મંત્ર 'લક્ષ્મી નારાયણાય નમઃ' છે.

કોઈ કાર્યમાં સફળતા મેળવવી હોય તેના માટે: આ મંત્રનો જાપ કરવાથી સાધકને બધી બાજુથી સફળતા મળે છે. માં લક્ષ્મીની ચાંદીની મૂર્તિ અથવા અષ્ટધાતુથી બનેલી મૂર્તિની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. આનો મંત્ર 'ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મીયે નમઃ' છે.

ધનલાભ માટે: જો તમે શુક્રવારે કમળના બીજની માળા સાથે આ મંત્રનો જાપ કરશો, તો તમને ધનલાભ થશે. જેનો મંત્ર 'ઓમ ધનાય નમઃ' છે.

દેવું કર્યું હોય અને તેનાથી મુક્તિ મેળવવી હોય તો: દેવાથી મુક્તિ મેળવવા માટે માં લક્ષ્મીના ખાસ મંત્રનો જાપ કરો. આવું કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને દેવું થતું બંધ થશે. આના માટેનો મંત્ર 'ઓમ હ્રીમ શ્રી ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પૂરયે, ધન પૂરયે, ચિંતાયેં દૂરયે-દૂરયે સ્વાહા:' છે.