ભારે ગરમીથી બચવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમને ઉનાળાની ઋતુમાં પીવા માટે કંઈક ઠંડું મળે છે, તો આનાથી વધુ તાજગી આપનારું કંઈ હોઈ શકે નહીં.
જો તમે પણ આ ઉનાળામાં હેલ્ધી અને દેશી પીણું શોધી રહ્યા છો તો તમે દહીંમાંથી બનેલી છાશનું સેવન કરી શકો છો.
છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તમે તેને તમારી પસંદગી મુજબ મીઠી અથવા નમકીન બનાવી શકો છો.
તમને જણાવી દઈએ કે છાશમાં પ્રોટીન, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, વિટામીન અને ફોસ્ફરસ જેવા ગુણો જોવા મળે છે જે શરીરને ઘણા ફાયદા અપાવવામાં મદદ કરે છે.
છાશમાં કેલેરી અને ચરબી ઓછી હોય છે. ઉનાળામાં તેનું સેવન ફેટ બર્નરનું કામ કરી શકે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો છાશનું સેવન કરી શકો છો.
છાશને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવનથી ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટાડી શકાય છે.
છાશના સેવનથી શરીરમાં પાણીની ઉણપને દૂર કરી શકાય છે. છાશ ડિહાઇડ્રેશનની સમસ્યાને રોકવામાં મદદ કરી શકે છે.
ઉનાળામાં તેલયુક્ત અને મસાલેદાર કંઈપણ ખાવાથી પેટમાં બળતરા થાય છે. જો તમે એસિડિટી અથવા હાર્ટબર્નથી પરેશાન હોય તો તમે છાશનું સેવન કરી શકો છો. જમ્યા પછી છાશનું સેવન કરવાથી એસિડિટી અને પેટમાં થતી બળતરામાં રાહત મળે છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી