Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન

ભારત વિવિધતાઓનો દેશ છે, જ્યાં ડગલે ને પગલે અનોખી પરંપરાઓ જોવા મળે છે. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે દેડકાના લગ્ન કરાવવા માટે આખું ગામ ઉમટી પડ્યું હોય? હિન્દુ રીતિ-રિવાજ મુજબ થતા આ લગ્ન પાછળ એક ખાસ મનોકામના છુપાયેલી છે. જાણો

| Updated on: Mar 23, 2026 | 3:56 PM
1 / 6
ભારતને ગામડાઓનો દેશ કહેવામાં આવે છે. દેશના 7 લાખથી વધુ ગામડાઓ પોતાની આગવી વિશેષતા માટે જાણીતા છે. પરંતુ ઉત્તર-પૂર્વ ભારતના અસમ રાજ્યમાં આવેલું રંગદોઈ ગામ (Rangdoi Village) પોતાની એક વિલક્ષણ પરંપરાને કારણે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દેડકાઓના લગ્ન કોઈ રાજવી લગ્નથી ઓછા હોતા નથી.(Image Credit: Google)

ભારતને ગામડાઓનો દેશ કહેવામાં આવે છે. દેશના 7 લાખથી વધુ ગામડાઓ પોતાની આગવી વિશેષતા માટે જાણીતા છે. પરંતુ ઉત્તર-પૂર્વ ભારતના અસમ રાજ્યમાં આવેલું રંગદોઈ ગામ (Rangdoi Village) પોતાની એક વિલક્ષણ પરંપરાને કારણે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દેડકાઓના લગ્ન કોઈ રાજવી લગ્નથી ઓછા હોતા નથી.(Image Credit: Google)

2 / 6
ગામ આખું બને છે જાનૈયા: આ ગામમાં જ્યારે દેડકાના લગ્ન લેવાય છે, ત્યારે આખું ગામ હરખાઈ જાય છે. ગ્રામજનો પોતે જાનૈયા બને છે, ગીતો ગવાય છે અને લગ્નમાં ભોજન સમારંભ પણ યોજાય છે. આસપાસના ગામના લોકો પણ આ અનોખા લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. નવાઈની વાત એ છે કે, જેવી રીતે ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં લગ્નની દરેક વિધિ કરવામાં આવે છે, તે જ રીતે આ દેડકાઓના પણ વિધિવત લગ્ન કરાવવામાં આવે છે.(Image Credit: goSTOPS)

ગામ આખું બને છે જાનૈયા: આ ગામમાં જ્યારે દેડકાના લગ્ન લેવાય છે, ત્યારે આખું ગામ હરખાઈ જાય છે. ગ્રામજનો પોતે જાનૈયા બને છે, ગીતો ગવાય છે અને લગ્નમાં ભોજન સમારંભ પણ યોજાય છે. આસપાસના ગામના લોકો પણ આ અનોખા લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. નવાઈની વાત એ છે કે, જેવી રીતે ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં લગ્નની દરેક વિધિ કરવામાં આવે છે, તે જ રીતે આ દેડકાઓના પણ વિધિવત લગ્ન કરાવવામાં આવે છે.(Image Credit: goSTOPS)

3 / 6
આખરે કેમ કરાવવામાં આવે છે આ લગ્ન?: આ પરંપરા પાછળ એક અતૂટ શ્રદ્ધા અને આર્થિક કારણ જોડાયેલું છે. સ્થાનિક લોકોની એવી માન્યતા છે કે જો જંગલી દેડકાઓને પકડીને તેમના લગ્ન કરાવવામાં આવે, તો તેનાથી વરસાદના દેવતા (વરુણ દેવ) પ્રસન્ન થાય છે. (Image Credit: Medium)

આખરે કેમ કરાવવામાં આવે છે આ લગ્ન?: આ પરંપરા પાછળ એક અતૂટ શ્રદ્ધા અને આર્થિક કારણ જોડાયેલું છે. સ્થાનિક લોકોની એવી માન્યતા છે કે જો જંગલી દેડકાઓને પકડીને તેમના લગ્ન કરાવવામાં આવે, તો તેનાથી વરસાદના દેવતા (વરુણ દેવ) પ્રસન્ન થાય છે. (Image Credit: Medium)

4 / 6
ગામમાં જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હોય અથવા વરસાદ ખેંચાયો હોય, ત્યારે પાકને બચાવવા માટે આ ઉપાય કરવામાં આવે છે. ગ્રામજનો માને છે કે દેડકાના લગ્ન થવાથી આકાશમાંથી અમૃત જેવો વરસાદ વરસે છે, જે ખેતી અને ગ્રામીણ અર્થતંત્રને જીવતદાન આપે છે. (Image Credit: Reddit)

ગામમાં જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હોય અથવા વરસાદ ખેંચાયો હોય, ત્યારે પાકને બચાવવા માટે આ ઉપાય કરવામાં આવે છે. ગ્રામજનો માને છે કે દેડકાના લગ્ન થવાથી આકાશમાંથી અમૃત જેવો વરસાદ વરસે છે, જે ખેતી અને ગ્રામીણ અર્થતંત્રને જીવતદાન આપે છે. (Image Credit: Reddit)

5 / 6
પ્રકૃતિ અને પરંપરાનો સંગમ: રંગદોઈ ગામ માત્ર આ અજીબ રિવાજ માટે જ નહીં, પણ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. અહીંની હરિયાળી અને પહાડી વાતાવરણ પ્રવાસીઓના મન મોહી લે છે. પરંપરા અને કુદરતી સૌંદર્યનો આવો સંગમ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. (Image Credit: Savaari)

પ્રકૃતિ અને પરંપરાનો સંગમ: રંગદોઈ ગામ માત્ર આ અજીબ રિવાજ માટે જ નહીં, પણ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. અહીંની હરિયાળી અને પહાડી વાતાવરણ પ્રવાસીઓના મન મોહી લે છે. પરંપરા અને કુદરતી સૌંદર્યનો આવો સંગમ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. (Image Credit: Savaari)

6 / 6
વિજ્ઞાનના યુગમાં પણ ભારતની આ લોકવાયકાઓ અને શ્રદ્ધા જીવંત છે. દેડકાના લગ્ન એ માત્ર એક વિધિ નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાનો અને વરસાદની અપેક્ષા રાખવાનો ગ્રામીણ લોકોનો એક દેશી અંદાજ છે. (Image Credit: Varanasi Guru)

વિજ્ઞાનના યુગમાં પણ ભારતની આ લોકવાયકાઓ અને શ્રદ્ધા જીવંત છે. દેડકાના લગ્ન એ માત્ર એક વિધિ નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાનો અને વરસાદની અપેક્ષા રાખવાનો ગ્રામીણ લોકોનો એક દેશી અંદાજ છે. (Image Credit: Varanasi Guru)

Published On - 3:07 pm, Mon, 23 March 26

Follow Us