
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ એક એવો શો છે જે લાંબા સમયથી ચાહકોનો ફેવરિટ છે. સિરીયલના દરેક પાત્રને ચાહકોને ખુબ પ્રેમ છે. પરંતુ સૌથી વધારે પસંદ થનારું પાત્ર દયાબેન છે. જે પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ નિભાવ્યું હતુ.

9 વર્ષ સુધી ચાહકોનું મનોરંજન કર્યા બાદ તેમણે શો છોડ્યો હતો. રિપોર્ટ મુજબ દિશા વાકાણીએ મૈટરનિટી લીવના કારણે શો છોડ્યો હતો. ત્યારબાદ એવી ચર્ચા થઈ રહી હતી કે, તે શોમાં ફરી એન્ટ્રી કરશે.

ચાહકો દરેક એપિસોડમાં દિશા વાકાણીના આવવાની રાહ જોતા હતા. પ્રોડ્યુસર અસિત મોદીને લઈ શોના અનેક પાત્રો દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અત્યારસુધી અભિનેત્રીના પરત ફરવાની કોઈ આશા સામે આવી નથી.

ત્યારે હવે એક સવાલ થાય છે કે, દયા બેન એટલે કે, દિશા વાકાણી શો છોડ્યા બાદ ક્યાં આટલા વ્યસ્ત છે. તે ન તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે, ન તો કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, દિશો વાકાણી શો છોડ્યા બાદ તે પોતાનો સમય તેના બાળકો અને પરિવારને આપી રહી છે.

દિશા વાકાણીએ વર્ષ 2017માં પોતાની દીકરી સ્તુતીના જન્મ પહેલા શોને અલવિદા કહ્યું હતુ. ત્યારબાદ તેમણે પોતાના કામથી બ્રેક લીધો હતો. બધો ટાઈમ તેમની દીકરીની સારસંભાળમાં રાખે છે.

વર્ષ 2022માં દિશા વાકાણી બીજી વખત માતા બની હતી. એક દીકરાને જન્મ આપ્યો હતો. હવે તે દિશા વાકાણી એક્ટિંગમાંથી બ્રેક લઈ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.