સુરત: હોળીના તહેવારમાં લાખો કિલો લાકડા બચાવવાની અનોખી ઝુંબેશ, ગોબર સ્ટીકની માગમાં થયો મોટો વધારો

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા હોળી પર્વની ઉજવણી સાથે જ લાખો કિલો લાકડાનું આંધણ અટકે એ માટે વૈદિક હોળી પ્રગટાવવાની ઝુંબેશ રંગ લાવી રહી છે. હોળીની દરમિયાન ગૌવંશના સંવર્ધન અને પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે ગૌપ્રેમીઓ ગૌશાળાઓ પ્રબુદ્ધ નાગરીકો કટીબદ્ધ થયા છે. ગત વર્ષે સુરતની ચાર જાણીતી, મોટી ગૌશાળાઓ દ્વારા 95 ટન ગોબરસ્ટીક બનાવાઈ હતી. તે સામે આ લોકજાગૃતિને જોતાં 200 ટન ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કર્યો છે.

| Edited By: | Updated on: Mar 16, 2024 | 7:35 PM
4 / 5
સુરત પાંજરાપોળ ટ્રસ્ટના જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતુ કે, વૈદિક હોળી માટે હાલમાં રોજની 10થી વધારે ઈન્કવાયરી આવી રહી છે. મોટી સોસાયટી અને મોટાપાયે થતા હોળીકાદહનના કાર્યક્રમોમાં 500 કિલો ગોબરસ્ટીકની માંગ રહે છે. નાના પાયે કે સામાન્ય આયોજનોમાં 300 કિલો સુધીની ગોબરસ્ટીકની માંગ રહે છે. તેને જોતાં 70 હજાર કિલો ગોબરસ્ટીક અને સરેરાશ 300 કિલોની ગણતરી કરીએ તો 250 જેટલી વૈદિક હોળી પ્રગટાવી શકાશે.

સુરત પાંજરાપોળ ટ્રસ્ટના જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતુ કે, વૈદિક હોળી માટે હાલમાં રોજની 10થી વધારે ઈન્કવાયરી આવી રહી છે. મોટી સોસાયટી અને મોટાપાયે થતા હોળીકાદહનના કાર્યક્રમોમાં 500 કિલો ગોબરસ્ટીકની માંગ રહે છે. નાના પાયે કે સામાન્ય આયોજનોમાં 300 કિલો સુધીની ગોબરસ્ટીકની માંગ રહે છે. તેને જોતાં 70 હજાર કિલો ગોબરસ્ટીક અને સરેરાશ 300 કિલોની ગણતરી કરીએ તો 250 જેટલી વૈદિક હોળી પ્રગટાવી શકાશે.

5 / 5
હાલમાં સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન, સંવર્ધન થઇ રહ્યું છે. એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે. દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ છે.

હાલમાં સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન, સંવર્ધન થઇ રહ્યું છે. એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે. દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ છે.