
ઘરની સીડીઓનું ધ્યાન રાખો: વાસ્તુ મુજબ, આપણા ઘરની સીડીઓ પ્રગતિનું પ્રતીક છે. તમારે હંમેશા ઘરની સીડીઓ સાફ રાખવી જોઈએ. જો સીડીઓ તૂટેલી હોય, તો તેનું સમારકામ કરાવો. આ ઉપરાંત, ઘરની સીડી નીચે કોઈપણ પ્રકારની વસ્તુઓ ન રાખો. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, તમે સીડી નીચે રસોડું અને બાથરૂમ ન બનાવો.

ભીનાશનું ધ્યાન રાખો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના કોઈપણ ખૂણામાં અથવા દિવાલ પર ભીનાશ કે લીકેજ ન હોય તેનું ધ્યાન રાખો. જો તમે આ સમસ્યાને અવગણશો, તો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવશે. આટલું જ નહીં, તમારી આ ભૂલ વાસ્તુદોષનું કારણ પણ બની શકે છે. જો દિવાલો પર ભીનાશ હોય અથવા નળમાંથી પાણી વહી રહ્યું હોય, તો તેને પણ જલ્દી ઠીક કરો.

અવાજ ન આવવો જોઈએ: ઘરમાં ઝગડો થતો હોય તો માન્યતા અનુસાર જ્યારે તમે ઘરનો દરવાજો ખોલો છો કે બંધ કરો છો, ત્યારે તે સમયે તેમાંથી કોઈ અવાજ ન આવવો જોઈએ. આ ઉપરાંત, જ્યારે તમે પલંગ કે સોફા પર બેસો છો, ત્યારે પણ કોઈ અવાજ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.