Gujarati News Photo gallery Stock Market Anil Ambani company Reliance Power made investors rich rupees more than doubled in one year Multibagger Stocks
અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં રૂપિયા થયા ડબલથી વધારે
કંપનીના શેર 15 માર્ચના રોજ 1.05 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 21.10 ના સ્તર પર ખુલ્યો હતો અને 22.10 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 22.10 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 33.15 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 9.05 રૂપિયા છે.
1 / 5
શેરબજારમાં શુક્રવારે 15 માર્ચના રોજ વેચવાલી જોવા મળી હતી અને બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. આ દરમિયાન રોકાણકારો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર ખરીદવા તૂટી પડ્યા હતા. રિલાયન્સ પાવરના શેર 4.98 ટકાના વધારા સાથે 22.13 રૂપિયા પર બંધ થયા હતા. રિલાયન્સ પાવરનો શેર 27 માર્ચ, 2020ના રોજ 99 ટકાથી વધારે ઘટીને 1.13 રૂપિયા થયો હતો.
2 / 5
હાલ રિલાયન્સ પાવરના શેરમાં રિકવરી જોવા મળી છે. શેરમાં વધારાનું કારણ કંપની સાથે જોડાયેલા એક સમાચાર છે. રિલાયન્સ પાવરે જણાવ્યું હતું કે, કંપનીએ 14 માર્ચે ICICI બેન્ક લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ પાવર લિમિટેડના પ્રમોટર રિલાયન્સ ઇન્ફ્રા નાણાકીય સુવિધા માટે કોર્પોરેટ ગેરેંટર બની છે.
3 / 5
કંપનીના શેર 15 માર્ચના રોજ 1.05 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 21.10 ના સ્તર પર ખુલ્યો હતો અને 22.10 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 22.10 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 33.15 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 9.05 રૂપિયા છે.
4 / 5
છેલ્લા 6 મહિનામાં રિલાયન્સ પાવરના શેરે ઈન્વેસ્ટર્સને 3 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 15.71 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 114.56 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 11.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 107.51 ટકાનું રિટર્ન આપ્યું છે.
5 / 5
રિલાયન્સ પાવરમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 24.5 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 62 ટકા છે. કંપનીમાં કુલ 35,67,059 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 8423 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 20605 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો -2626 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)