
જયા કિશોરીને એક બહેન પણ છે જેનું નામ ચેતના શર્મા છે. ચેતના શર્મા પણ ભજન ગાયક છે. તે અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે.

જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ એક આધ્યાત્મિક પરિવારમાં થયો હતો. આજે જયા કિશોરીના ભક્તો દેશ તેમજ વિદેશમાં પણ છે. જયા કિશોરીનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે.

9 વર્ષની ઉંમરે, તેમણે સંસ્કૃતના તમામ સ્ત્રોતો જેમ કે શિવ તાંડવ સ્તોત્ર, રામાષ્ટકમ કંઠસ્થ કરી લીધા હતા અને તેમને ગાવાનું શરૂ કર્યું હતું. તેમના ગુરુ ગોવિંદ રામ મિશ્રા હતા, તેમણે જ તેમને 'કિશોરી જી'નું બિરુદ આપ્યું હતું.

જયા કિશોરી હંમેશા સોશિયલ મીડિયા પર તેના ચાહકોને સવાલોના જવાબ આપતી રહે છે. તેને હંમેશા એક જ પ્રશ્ન પુછવામાં આવે છે કે, તે લગ્ન ક્યારે કરશે. તો એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, તે લગ્ન જરુર કરશે.

જયા કિશોરી કથા માટે લાખોમાં ચાર્જ લે છે. એક રિપોર્ટ મુજબ એક કથા માટે તે 10 લાખ રુપિયાનો ચાર્જ લે છે. જયા કિશોરી સામાજીક કાર્યોમાં પણ ખુબ જ સક્રિય છે તેમજ તે આર્થિક રુપથી નબળા બાળકોનો અભ્યાસનો ખર્ચો પણ ઉઠાવે છે.

જયા કિશોરીએ બી કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તે અનેક વખત કહી ચુકી છે કે, તેના દાદા-દાદી પાસેથી તેમણે ભજન ગાવાનું શીખી હતી.જયા કિશોરીને ધર્મ-અધ્યાત્મના ક્ષેત્રમાં તેમના મહાન યોગદાનને ધ્યાનમાં રાખીને ‘આદર્શ યુવા આધ્યાત્મિક ગુરુ એવોર્ડ, સમાજ રત્ન એવોર્ડ, આઇકોનિક વુમન મોટિવેશનલ સ્પીકર ઑફ ધ યર 2021, બેસ્ટ મોટિવેશનલ સ્પીકર 2021 વગેરેથી નવાજવામાં આવ્યા છે.

જ્યારે તેમનું પ્રવચન હોય છે તેમાં હજારો લોકોની ભીડ જોવા મળે છે,જયા કિશોરી, જેમને તેમના ભક્તો 21મી સદીની મીરા તરીકે બોલાવે છે.જો કે જયા કિશોરી હજુ અપરિણીત છે.
Published On - 11:42 am, Mon, 15 April 24