
જુવારનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માત્ર ગ્લુટેન-ફ્રી અનાજનો વિકલ્પ જ નથી પરંતુ ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ અને ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ડાયેટમાં જોડવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે, સાથે જ હાર્ટ હેલ્થ પણ સુધરે છે.

હેલ્થ એક્સપર્ટ કહે છે કે, 100 ગ્રામ જુવારમાં લગભગ 330 કેલરી હોય છે. તેમાં આશરે 72 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 10-11 ગ્રામ પ્રોટીન અને લગભગ 3 ગ્રામ ફેટ હોય છે. ત્યાં જ, જુવારમાં આશરે 6-7 ગ્રામ ફાઈબર અને લગભગ 350 મિલીગ્રામ પોટેશિયમ મળી આવે છે.

તબીબી નિષ્ણાત એ પણ કહે છે કે, જુવારનો લોટ હાર્ટ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું અને શરીરમાંથી એક્સ્ટ્રા સોડિયમ બહાર કાઢવાનું કામ કરે છે.

જુવારનો લોટ હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં લાભદાયી છે, કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે. આ સાથે જ તેમાં રહેલા કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર, ગ્લુકોઝ એબ્ઝોર્પ્શનને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

આ અનાજ ગ્લુટેન ફ્રી અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પાચનને સુધારે છે, જેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. ગ્લુટેન ફ્રી હોવાને કારણે આ અનાજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ગ્લુટેન-ફ્રી હોવાને કારણે જે લોકો ગ્લુટેન સેન્સિટિવ હોય છે, તેઓ તેનું સેવન કરી શકે છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે તે ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે.

જુવારના લોટનું સેવન તમે રોટલી અને ભાખરીના રૂપમાં કરી શકો છો. તેને મલ્ટીગ્રેન (બીજા અનાજો સાથે ભેળવીને) ફોર્મમાં ખાવાથી તેના પોષક તત્વો અનેક ગણા વધી જાય છે.