



માનવ ગાંઠોને પ્રયોગશાળામાં ઉંદરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ, આ સિંગલ ડોઝનું ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે આ ડોઝ ગાંઠોને દૂર કરે છે. ERSO-TFPY ના એક જ ડોઝથી ઉંદરોમાં ઉગતી નાની ગાંઠો દૂર થઈ ગઈ અને મોટી ગાંઠોનું કદ ઓછું થઈ ગયું.

આ સંશોધનથી સ્પષ્ટ થયું છે કે આ એક માત્રા બ્રેસ્ટ કેન્સરના ગાંઠને દૂર કરી શકે છે. જો તે મનુષ્યોમાં પણ સફળ થાય છે, તો બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને આ રોગની સારવાર માટે અલગ અલગ ઉપચાર લેવાની જરૂર નહીં પડે.

નિષ્ણાતો કહે છે કે ખોટી ખાવાની આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે બ્રેસ્ટ કેન્સરના કેસ વધી રહ્યા છે. હવે મહિલાઓ 25 થી 30 વર્ષની ઉંમરે પણ આ કેન્સરનો ભોગ બની રહી છે.