
2002માં, જેનિફર વિંગેટે "શકા લકા બૂમ બૂમ" થી ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું. જેનિફરે "કસૌટી જિંદગી કી" શોમાં સ્નેહા બજાજની ભૂમિકા ભજવી હતી. બાદમાં, તેણીએ "દિલ મિલ ગયે" માં ડૉ. રિદ્ધિમા ગુપ્તા, "સરસ્વતીચંદ્ર" માં કુમુદ સુંદરી દેસાઈ, "બેહદ" માં માયા મેહરોત્રા અને "બેપન્નાહ" માં ઝોયા સિદ્દીકીની મજબૂત ભૂમિકાઓ ભજવી હતી.

જેનિફર વિંગેટે તેના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેણે ૨૦૧૨માં તેના સહ-કલાકાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા. આ કપલ ચાહકોનું પ્રિય પણ હતું. પરંતુ બંનેના 2014માં જ છૂટાછેડા થઈ ગયા.

કરણ સાથે લગ્ન કરતા પહેલા, અભિનેત્રીને તેના બધા મિત્રોએ તેની સાથે લગ્ન ના કરવાની સલાહ આપી હતી. પરંતુ તેણીએ કોઈનું સાંભળ્યું નહીં. કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડા પછી, જેનિફર વિંગેટ એકલવાયું જીવન જીવી રહી છે. જોકે, છૂટાછેડા પછી, તેણીએ બધુ ધ્યાન તેના કરિયર પર કેન્દ્રિત કર્યું.

ટીવી પછી, હવે જેનિફર વિંગેટ OTT પર પોતાની ખાસ ઓળખ બનાવી રહી છે. તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે જેના પર તે સતત કામ કરી રહી છે. અત્યાર સુધી જેનિફરે કોડ M અને રાયસિંગહાની વર્સિસ રાયસિંગહાની જેવી વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેનું કામ દર્શકોને પણ પસંદ આવી રહ્યું છે.