
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો તમે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીશો, તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. વધુમાં, જો તમને કિડનીમાં પથરી હોય, તો તમારે હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. વધુ પડતું હળદરવાળું દૂધ પીવાથી લીવર પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

બીજું કે, હળદરવાળું દૂધ બ્લડ સુગર લેવલ ઘટાડે છે. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે ડૉક્ટરની સલાહ લીધા વિના હળદરવાળું દૂધ ન પીવું જોઈએ, નહીં તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ધ્યાન રાખો કે, તમારે સવારે ખાલી પેટે હળદરવાળું દૂધ પીવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે તેનાથી એસિડિટી અથવા હાર્ટ-બર્ન જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે, નાસ્તા પછી હળદરવાળું દૂધ પી શકાય છે.