
શિવલિંગ પર આવેલા એ સાત સ્થાન, જે શિવના પરિવાર અને બ્રહ્માંડીય સ્વરૂપને દર્શાવે છે.

સીધુ ચરણ-- શિવલિંગ પર આવેલ આ સ્થાનને ભગવાન શ્રી ગણેશજીનુ સ્થાન માનવામાં આવે છે.

ડાબુ ચરણ- શિવલિંગ પર અહીં શ્રી કાર્તિકેય નું સ્થાન હોય છે.

સર્પાકાર ભાગ- બંને ચરણો વચ્ચેનો આ ભાગ ભગવાન શંકરની નાની પુત્રી અશોક સુંદરીનું સ્થાન છે.

ગોળ ભાગ- શિવલિંગની નીચેનો આ ગોળ હિસ્સો માતા પાર્વતીના હસ્તકમલ કહેવાય છે.

સ્વયં શિવલિંગ- શિવલિંગ પર જે લિંગનું સ્થાન છે તે સાક્ષાત દેવાધિદેવ મહાદેવનું સ્થાન છે.

ઉપરનો કળશ- શિવલિંગની ઉપર લટક્તા કળશમાં ભગવાન શંકરની પાંચ પુત્રીઓનું સ્થાન માનવામાં આવે છે.

જળસ્ત્રોત ભાગ- જે સ્થાનથી જળાભિષેક નું જળ નીચે ઉતરે છે, ત્યાં 33 કોટિ દેવીદેવતાનો વાસ હોય છે.
Published On - 5:08 pm, Thu, 20 August 26