
જો કોઈ સ્ત્રીની દાઢી પર તલ હોય તો તેને લોકો સાથે મળવાં-જળવવામાં તકલીફ પડે છે. આવી મહિલાઓ સરળતાથી કોઈ સાથે સહયોગ સ્થાપિત કરી શકતી નથી, જેના કારણે તેમનું પ્રેમ અને વૈવાહિક જીવન પણ અસરગ્રસ્ત થઈ શકે છે. તેમના જીવનસાથી કે પ્રેમી પાસે એ ફરિયાદ હોય શકે કે આ મહિલાઓ પોતાની વાતો ખુલ્લેઆમ વ્યક્ત કરતી નથી. આના કારણે તેમના સંબંધોમાં અણબનાવ ઊભો થઈ શકે છે. આવી મહિલાઓએ પોતાની અંદરની ઝિજક દૂર કરવા માટે સારા લોકોના સંપર્કમાં રહેવું જોઈએ.

સામુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈના હાથની નાની આંગળીના મૂળભાગે તલ હોય તો તેમને પ્રેમ અને વૈવાહિક જીવનમાં તકલીફો આવી શકે છે. હાંલાં કે આ જગ્યા પર તિલ હોવું આર્થિક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે, પણ સંબંધોમાં સંતુલન જાળવી રાખવામાં લોકોને મુશ્કેલી આવતી હોય છે.

જો કોઈ વ્યક્તિના ડાબા ઘૂંટણ પર તલ હોય તો તેને ઘરના મોરચે અનેક અડચણો આવી શકે છે. આવા લોકો પોતાના પાર્ટનર વિશે ગેરસમજ પેદા કરી શકે છે, જેના કારણે તેમના વૈવાહિક જીવનમાં વારંવાર ઝઘડા થઈ શકે છે. (નોંધ : અહીં અપવમાં આવેલી માહિત શસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે.)